નાણાંકીય વર્ષ 2019માં દેશના 20 રાજ્યોમાં ભ્રષ્ટાચારમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયા કરપ્શન સર્વેનાં અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લા 12 મહિનામાં સરકારી કામો માટે લાંચ-રુશ્વતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ અહેવાલનાં વાર્ષિક સૂચકાંક મુજબ ભારત 78માં નંબર પર પહોંચી ગયું છે. જોકે આટલા મોટા ઘટાડા છતાં હજુ પણ 51 ટકા લોકોએ સ્વીકાર કર્યું કે છેલ્લા 12 મહિનામાં તેમણે સરકારી કામો માટે એક વાર લાંચ આપી છે.
51 ટકા લોકોએ માન્યું એક વર્ષમાં એકવાર લાંચ આપી
ભારત વિશ્વમાં 78માં નંબર પર
ભારતની સાથે આર્જેટીના અને ગુયાનાએ પણ સુધાર કર્યો
એક વર્ષમાં લાંચ અને ભ્રષ્ટાચારમાં 10 ટકાનો ઘટાડો આવ્યો
આ સર્વે ટ્રાન્સપેરેંસી ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવ્યો હતો જે બિનસરકારી, બિનરાજનીતિક અને ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન છે. દેશના 248 જીલ્લાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 1 લાખ 90 હજાર લોકોને સવાલ કરવામાં આવ્યા. જોકે આટલા મોટા ઘટાડા છતાં હજુ પણ 51 ટકા લોકોએ સ્વીકાર કર્યું કે છેલ્લા 12 મહિનામાં તેમણે સરકારી કામો માટે એક વાર લાંચ આપી છે.
Incidents of bribery in India reduced by 10 pc since last year, according to 'India Corruption Survey 2019' carried out in 20 states.
આ ઇન્ડેક્સ અહેવાલ 2018નો છે. નોંધનીય છે કે આ લીસ્ટમાં ભારત, આર્જેટીના અને ગુયાના જેવા દેશોએ પહેલાં કરતા સારું પ્રદર્શન કર્યું છે. ગયા વર્ષે ભારત 40 અંકો સાથે 80માં નંબર હતું. ભારત 3 સ્થાન પર સુધારો કરીને 78માં સ્થાન પર પહોંચી ગયું છે. નોંધનીય છે કે છેલ્લા દસ વર્ષથી ભારત ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત સુધારો કરી રહ્યું છે. છેલ્લા દસકમાં આ પહેલો મોકો છે જ્યારે ભારત આ સ્થાન પર પહોંચ્યું હોય.
પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનની શું છે પરિસ્થિતિ?
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પાડોશી દેશોથી સારું પ્રદર્શન કર્યું છે પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીમાં કરવામાં હજુ ઘણું કરવાનું બાકી છે. આ અહેવાલનાં વાર્ષિક સૂચકાંક મુજબ ભારત 78માં નંબર પર છે. જોકે રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન છતાં ચીન આ લીસ્ટમાં ઉપર છે. પાડોશી દેશોની વાત કરીએ તો 87માં નંબર પર ચીન અને પાકિસ્તાન 117માં સ્થાને છે. ચીન પહેલાં ભારતથી આગળ હતું પરંતુ 2018માં તે 87માં સ્થાન પર પહોંચી ગયું.