જૂનાગઢમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. ગલીયાવાડ ગામમાં મુસ્લિમ પરિવાર વચ્ચે અથડામણ થઈ. જેમાં મસ્જિદમાં આવેલી દુકાન ખાલી કરાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી.
દુકાન ખાલી કરાવવા મુદ્દે બોલાચાલી થયા બાદ બોલાચાલી ઉગ્ર બનતાં તલવાર અને છરી સહિતના હથિયાર વડે હુમલો કર્યો. જેમાં મહિલા સહિત 10 લોકોને ઈજા પહોંચી હતી. તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મસ્જિદમાં આવેલી દુકાન ખાલી કરવા મુદ્દે બોલાચાલી થઇ હોવાનું જાણવા મળેલ છે. ઘટનાને પગલે SP અને DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યારે આ અથડામણમાં ઇજા પહોંચેલી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.