દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવુ વર્ષ તેમના માટે એકદમ શુભ રહે. કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. ધન-ધાન્યની કમી ન થાય. વાસ્તુના અનુસાર, નવા વર્ષ પર ઘરમાં એવી વસ્તુઓ લાવવી જોઈએ જે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે. જેનાથી ઘરમાં સકારાત્મર ઉર્જાનો સંચાર થાય. આવો જાણીએ તેવી કઈ વસ્તુઓ છે.
નવા વર્ષે ઘરમાં વસાવી લો આ 7 વસ્તુઓ
નહીં થાય ઘરમાં ધનની કમી
આખુ વર્ષ રહેશે માતા લક્ષ્મીનો આશીર્વાદ
વર્ષ 2022 ટૂંક સમયમાં જ પુરૂ થવાનું છે. જ્યારે નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે મોટાભાગના લોકો ઈચ્છે છે કે આવનાર વર્ષ તેના માટે સારૂ રહે. નવા વર્ષમાં દરેક પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે. ધન ધાન્યની કમી ન રહે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશીનું વાતાવરણ બની રહે. જો તમે પણ ઈચ્છો છો કે તમારૂ આવનારૂ વર્ષ ખુશીઓ ભરેલું રહે, સુખ-સમૃદ્ધિ અને પૈસાની કમી ન થાય, તો વાસ્તુ શાસ્ત્રના હિસાબથી નવા વર્ષમાં અમુક વસ્તુઓની ખરીદી કરો. તેનાથી આખુ વર્ષ જીવનમાં ખુશીઓ ભરેલી રહેશે.
તુલસીનો છોડ
નવા વર્ષના અવસર પર ઘરમાં કોઈ પણ પ્રકારનું ઈન્ડોર પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે. એવામાં તમે તુલસીને લઈને આવી શકો છે. આ છોડનું ઘરમાં રહેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
મોર પંખ
ભગવાન શ્રીકૃષ્ણનું સૌથી પ્રિય મોરપંખ, જે પણ ઘરમાં હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે પોતાના નવા વર્ષને ખુશીઓથી ભરવા માંગો છો તો ઘરમાં મોર પંખ જરૂર લઈને રાખો. પરંતુ 1થી 3 જ મોરપંખ હોવા જોઈએ.
લધુ નારિયેળ
લધુ નારિયેળને લપેટીને તિજોરીમાં મુકી દો. તેના ઘરમાં રાખવાથી ધન તથા સમૃદ્ધિ વધે છે. લધુ નારિયેળના અન્ય પ્રયોગ પણ છે.
મોતી શંખ
ઘરમાં મોતી શંખને મુખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને ધનની કમી નથી રહેતી. એવામાં નવા વર્ષ માટે મોતી શંખની ખરીદારી કરો. તેને પૂજા કર્યા બાદ પૈસા મુકવાની જગ્યા અથવા તિજોરીમાં મુકી દો. તેનાથી પ્રસિદ્ધિના નવા દ્વાર ખોલે છે અને પૈસાની ક્યારેય કમી પણ નથી રહેતી.
ધાતુનો કાચબો
નવા વર્ષમાં ધાતુનો કાચબો ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં કાચબાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. નવું વર્ષ શરૂ થતા પહેલા પીતળ, કાંસા અથવા ચાંદીના બનેલા કાચબાની ખરીદી કરી શકાય છે.
ધાતુનો હાથી
વાસ્તુશાસ્ત્રના હિસાબથી ઘરમાં ધાતુથી બનેલી હાથીની મૂર્તિને રાખવી પણ શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ શક્તિઓનો નાશ થવા લાગે છે. એવામાં આ વખતે નવા વર્ષ માટે નકુર ચાંદીની ધાતુથી બનેલા હાથીની પ્રતિમાને ખરીદી શકાય છે. હાથી ખરીદવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ બની રહે છે.
લાફિંગ બુદ્ધા
નવા વર્ષ પર લાફિંગ બુદ્ધા ખરીદવો સૌથી સારો માનવામાં આવે છે. તેને હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશાની તરફ રાખો. ઘરમાં તેને મુકવાથી ધનની કમી ક્યારેય નહીં આવે.