માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીથી થયો છે.21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્યારે નર્મદાના રામપુરાના કીડીમકોરી ઘાટથી પ્રારંભ થયો છે.
માં નર્મદાની પંચકોશી પરિક્રમામાં હજારો ભક્તો ઉમટ્યા
પરિક્રમાને લઈ તંત્ર દ્વારા કોઈ સુવિધા ન કરતા ભક્તોમાં રોષ
રવિવારની રજા હોવાથી પરિક્રમામાં ભક્તોની ભીડ જામી
માં નર્મદાની પંચકોશી પરિક્રમામાં હજારો ભક્તો ઉમટ્યા છે. ત્યારે પરિક્રમાને લઈ તંત્ર દ્વારા કોઈ સુવિધા ન કરતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રવિવારની રજા હોવાથી પરિક્રમામાં ભક્તોની ભીડ જામી છે. ત્યારે નદી પાર કરવા માટે પણ નાવડીઓની પણ પુરતી વ્યવસ્થા જોવા મળતી નથી. જેથી ભક્તો જીવના જોખમે ચાલીને નદી પાર કરવા માટે મજબુર બન્યા છે. જો કોઈ કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જય છે.
દુનિયામાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. એવી પુણ્ય સલિલા માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ ચૈત્રી નવરાત્રીથી થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. ત્યારે નર્મદાના રામપુરાના કીડીમકોરી ઘાટથી પ્રારંભ થયો છે. નર્મદા માં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલા માં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે. નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જાય છે.
પંચકોસી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદા એ ભગવાન શિવની પુત્રી છે અને તે કુંવારી છે એટલે કે સાગરમાં મલતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે કે જેની પરિક્રમા શક્ય છે અને આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યા નો ઉલ્લેખ પુરાણોમાં છે ખાસ કરીને પંચકોસી નર્મદા પરિક્રમા 21 દિવસમાં પૂરી કરી શકાય છે અને આ પરિક્રમા ચૈત્ર માસમાં જ કરવામાં આવે છે. હાલ ભારત ભરમાંથી માં નર્મદા ના ભક્તો ધ્વારા 21 દિવસ માટે પરિક્રમાનો પ્રારંભ નર્મદા જીલ્લાના ગરુડેશ્વર ના પવિત્ર તટે થી કરવામાં આવ્યો છે અને જેમાં હજારો ભાવિકો જોડાય છે. આ પરિક્રમા રોજ 21 કિલોમીટર રામપુરા માજ પૂર્ણ કરવામાં આવે છે. અને એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપારા કરે છે.કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી,યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે.