પાટણના હારીજમાં ભાજપમાં ગાબડું પડ્યું છે. ભાજપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.
વડોદરામાં વોર્ડ નં.2માં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યુ હતું. વોર્ડમાં અતુલ પટેલ, મનસુખ સવાણી દીપ્તિ મહેતા તથા રંજન પઢિયારે પ્રચાર આરંભયો હતો. આ સાથે વોર્ડ નં.2ના ભાજપના 400 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. આ સાથે પ્રજાપતિ સમાજે પણ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. હાલ તો તમામ પરિસ્થિતિને જોતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો કોંગ્રેસના ગઢ ગણાતા મોડાસામાંથી અનેક જેટલા કાર્યકરો AIMIMમાં જોડાયા છે. જો કે, એક ચર્ચા રાજનીતિના ગલયારામાં ચાલી રહી છે કે, AIMIMનું ક્યાંકને ક્યાંક કોંગ્રેસ સાથે છેડો છે. જેને લઈને કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો AIMIMમાં જોડાયા છે. પરંતુ ભાજપને તેનાથી કોઈ ફાયદો થતો દેખાતો નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં ખરીદ-વેચાણ સંઘ તથા પક્ષ પલટાના મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ડાંગ જિલ્લામાં કોંગ્રેસમાં મોટુ ભંગાણ સર્જાયુ હતું. ડાંગ જીલ્લા ઉપ પ્રમુખ હરીશભાઈ,વઘઈ તાલુકા પંચાયતના માજી પ્રમુખ લલીતાબેન તથા માજી પ્રમુખ સહિત 200થી વધુ લોકોએ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કરી લીધો હતો. મહત્વપૂર્ણ છે કે ચૂંટણી ટાણે જ આટલી મોટી સંખ્યામાં પક્ષપલટો થતા કોંગ્રેસી છાવણીમાં ચિંતા પ્રસરી હતી.
તો પાટણના હારીજમાં ભાજપમાં ગાબડું પડ્યું છે. ભાજપના 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપના 2 વર્તમાન સરપંચ પણ કોંગ્રેસમાં જોડાયા છે. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના મતવિસ્તારમાં ગાબડું છે.