અમદાવાદ શહેરના અસારવામાં અનેક વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યાં છે. સતાધીશો પાસે રજૂઆત કરવા આવે છે તો ઉડાઉ જવાબ આપી રવાના કરી દેવામાં આવે છે અને એકપણ કોર્પોરેટર આ વિસ્તારમાં આવ્યા નથી.
હુકમસિંહની ચાલી હોય કે પછી ગાંધીની ચાલી તમામ રહીશોએ સ્થાનિક કોર્પોરેટરના ઘર સુધી રેલી યોજી હતી. રેલી બાદ કોર્પોરેટરના ઘર બહાર ધરણા યોજવામાં આવ્યા હતાં. પીવાના પાણીની સમસ્યા તેમજ અનેક પાયાની સુવિધાથી વંચિત અસારવાના સ્થાનિકોએ ઉગ્ર રેલી કરી સુત્રોચાર કર્યા હતાં. આ તમામ મુદેઓનું સત્વરે નિરાકરણ આવે તેવી માગ કરી હતી. કોર્પોરેટર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી કે આ મુદે ઝડપી નિરાકરણ આવશે.
અમદાવાદ શહેર આજે હરણફાળ ગતિ એ વિકસી રહ્યું છે. શહેરને હેરીટેઝ સીટીનો દરરજો મળ્યો છે. તો બીજી તરફ આજ મેગાસિટીની વાસ્તવિકતા કઈક અલગ છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારમાં આજે પીવા પાણી માટે સ્થાનિકો વલખા મારે છે.
સતાધીશો પાસે રજૂઆત કરવા સ્થાનિકો જાય તો ઉડાઉ જવાબ આપી રવાના કરી દેવામાં આવે છે. ત્યારે આજે હુકમસિંહની ચાલી હોય કે પછી ડો ગાંધી ની ચાલી આ તમામ રહીશો એ આજે સ્થાનિક કોર્પોરેટરના ઘર સુધી રેલી યોજી હતી અને રેલી બાદ કોર્પોરેટરના ઘર બહાર ધરણા યોજ્ય હતા.
પીવાના પાણીની સમસ્યા તેમજ અનેક પાયાની સુવિધાથી વંચિત અસારવાના સ્થાનિકોએ આજે ઉગ્ર રેલી કરી સુત્રોચાર કર્યા હતા અને માંગ કરી હતી કે આ તમામ મુદે સત્વરે નિરાકરણ આવે. સાથે જ સ્થાનિક કોર્પોરેટર દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી કે આ મુદે ઝડપી નિરાકરણ આવશે.