મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથે આપ્યું વિચિત્ર નિવેદન આપ્યું
પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે એક ખેડૂત રેલીને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર અને મધ્ય પ્રદેશની શિવરાજ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતાં. સાથે સાથે તેમણે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દાઢી સાથે કનેક્શનનું વિચિત્ર નિવેદન આપ્યું હતું. કમલનાથે કહ્યું કે, પીએમ મોદી આજ કાલ દાઢી થોડી નાની કરી દીધી છે. છેલ્લા 8 મહિનામાં જેટલી વાર દાઢી વધારી છે તેટલી વાર ડીઝલના ભાવ વધ્યા છે. પાછલા દિવસોમાં ઘટી તો પેટ્રોલના ભાવ ઘટ્યાં
કોંગ્રેસની સંસ્કૃતિ લોકોને જોડી રાખવામાં છે
કમલનાથ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોંગ્રેસની સંસ્કૃતિ લોકોને જોડી રાખવામાં છે. અમે દિલ જોડીએ છે. જે દરેક સમાજને જોડી રાખે છે.તમે અશોકાના સમયનો ઈતિહાસ દેખીએ, હંમેશા આ આપણા દેશની સંસ્કૃતિ રહી છે. આજે આ સંસ્કૃતિ પર આક્રમણ થઈ રહ્યું છે. યુવાનોને પોતાનું ભવિષ્ય દેખવાનું છે. હું મુખ્યમંત્રી બન્યો, કોંગ્રેસની નીતિ રજૂ કરી અને નક્કી કરી, અઢી મહિના આચારસંહિતા ગયા. તેમ છતાં, સાડા અગિયાર મહિનામાં અમે પ્રયત્નો કર્યા. 15 વર્ષમાં બીજેપીએ અમને કેવું મધ્યપ્રદેશ સોંપ્યું? મધ્યપ્રદેશની અર્થવ્યવસ્થા 70% કૃષિ આધારિત છે.
કમલનાથે સીએમ શિવરાજ પર કટાક્ષ કર્યો હતો
કમલનાથે આરોપ લગાવ્યો કે રાજ્યની સરકારી હોસ્પિટલની હાલત દયનીય છે. કોઈ પણ પ્રકારના ડૉક્ટર નથી. કોઈમાં લેડી ડોક્ટર નથી અને કોઈ જગ્યાએ દવા નથી. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં કોરોના સમયગાળા દરમિયાન 2.5 લાખ લોકોના મોત થયા છે. શિવરાજ સિંહ ચૌહાણ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, 'શિવરાજ સિંહ ચૌહાણ પીએમ મોદી પાસેથી એક્ટિંગ શીખ્યા છે. પરંતુ પીએમ હાલ દાઢી થોડી નાની કરી દીધી છે. છેલ્લા 8 મહિનાઓમાં જેટલી દાઢી વધી છે. તેટલો જ પેટ્રોલ ડિઝલનો ભાવ પણ વધ્યો છે. પરંતુ પાછલા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે.