મધ્ય પ્રદેશના નીમચમાં બે સમુદાયો વચ્ચે ભારે તણાવ હોવાની ખબરો સામે આવી રહી છે.
મધ્ય પ્રદેશના નીમચમાં ભારેલો અગ્નિ
દરગાહની પાસે હનુમાનજી પ્રતિમાને લઈને થયો વિવાદ
બંને સમુદાયોએ કર્યો ભારે પથ્થર મારો
મધ્યપ્રદેશના નીમચમાં બે સમુદાયો વચ્ચે ભારે તણાવ વ્યાપી ગયો હોવાની ખબરો સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નીચમ શહેરમાં જૂની કચેરી પર હનુમાનજીની પ્રતિમાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાને લઈને બે પક્ષોમાં ભારે વિવાદ શરૂ થયો હતો. જે બાદ બંને પક્ષોએ એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે બાદ પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે ટીયર ગેસના ગોળા છોડીને પરિસ્થિતી કાબુ કરી હતી. ત્યાર બાદ પૂરા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવાઈ છે.
Some people had placed an idol of Lord Hanuman near a dargah which lead to a clash b/w two groups in the old Kachari area. During the clash, some persons pelted stones damaging 3-4 motorcycles,but no persons were injured. Adequate police force deployed,said SP Neemuch last night. pic.twitter.com/QGtd3DVHwU
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 17, 2022
દરગાહની પાસે હનુમાનજી પ્રતિમાને લઈને થયો વિવાદ
આ અંગે નીમચના SP સૂરજ કુમારના જણાવ્યા અનુસાર અહીંયા એક દરગાહ છે. જ્યાં કેટલાક લોકોએ હનુમાનજી મૂર્તિ સ્થાપના કરી દીધી હતી. જેને લઈને બંને પક્ષોમાં વિવાગ શરૂ થઈ ગયો હતો. જેની સૂચના મળતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારામાં બે થી ત્રણ બાઈકોને નુક્સાન પહોંચ્યું છે. જો કે, આ સમગ્ર વિવાદમાં કોઈ પણ ઘાયલ નથી થયું..
Madhya Pradesh | After a dispute between two parties, prohibitory orders under section 144 implemented in Neemuch. pic.twitter.com/WlSjg9WSCo
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 17, 2022
પોલીસે ટિયર ગેસના ગોળા છોડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો
નીમચના SP સૂરજ કુમાર વર્મા જણાવ્યું હતું કે, જ્યાં વિવાદ થયો છે.ત્યાં બંને સમૂદાયના લોકો રહેતા હતાં. વિવાદના વખતે ભીડને હટાવવા માટે ટિયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે પૂરા વિસ્તારની વિવિધ ગલીયોમાં પેટ્રોલિંગ અને લોકોને ઘરે રહેવાની સૂચના આપી છે. આ સાથે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાનું પણ જણાવવામાં આવ્યુ છે. જો કે, હજુ સુધી આ વિવાદને લઈને કોઈ પણ પક્ષ તરફ કોઈ પણ ફરિયાદ નથી નોંધાયી નથી.
રામનવીના દિવસે ખરગોનમાં થઈ હતી હિંસા
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મધ્ય પ્રદેશના ખરગોનમાં રામનવમી પર હિંસા થઈ હતી. રામનવમી દરમિયાન યાત્રા પર ભારે પથ્થર મારા બાદ બંને સમૂદાયોમાં વિવાદ થઈ ગયો હતો. જે બાદ ખરગોનમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો. સાથે સાથે આરોપીઓની ગેરકાયદે સંપતિઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.