મધ્યપ્રદેશના એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 3 દિવસના એક શિશુને જીવતો દાટી દેવાયો હતો.સદનસીબે, ગ્રામજનોએ બાળકના રડવાની અવાજ સાંભળતા તેને બચાવી લેવાયો હતો
માટીમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાતા લોકોએ તપાસ કરી
તપાસ કરતાં બાળકને નદી કિનારે જીવતો દાટી દેવાયો
નવજાતને જીવતું દફનાવી દેવાના મામલે પોલીસ એક્શનમાં આવી
માટીમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાતા લોકોએ તપાસ કરી
પ્રાપ્ત માહિતી મુજબ, મધ્યપ્રદેશમાં ઝાંખરચક ગામ પાસે બોરવેલનું ખનન થઈ રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરનારાઓની નજર થોડે દૂર ખોદેલી માટી પર પડી હતી.ત્યાં કેટલાક કપડાં જોવા મળ્યા હતા. આ પછી, હળવા રડવાનો અવાજ સંભળાયો.લોકોએ માટી હટાવી ત્યારે તેમને કોથળામાં લપેટાયેલું નવજાત મળ્યું.માટીમાંથી નવજાત શિશુ બહાર આવતાની સાથે જ બાળક જોર જોરથી રડવા લાગ્યો.આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.બાદમાં ગ્રામજનો નવજાતને મુંગાવલી હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક સારવાર બાદ નવજાતને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. ડૉક્ટરોનું કહેવું છે કે નવજાત માત્ર 3 દિવસનું છે.
નવજાત બાળક એક કલાક સુધી રડતું રહ્યું
ગ્રામજનોનું કહેવું છે કે નવજાત શિશુને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈ કશું સમજી શક્યું નહીં. નજીકમાં પડેલી સિમેન્ટની ખાલી કોથળી તેના પર મુકવામાં આવી હતી અને તેના પર નવજાત શિશુને સુવડાવવામાં આવ્યું હતું. લગભગ એક કલાક સુધી નવજાત ખુલ્લામાં રડતું રહ્યું. ઘટનાસ્થળે ગ્રામજનોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.
પોલીસે સગર્ભા મહિલાઓ વિશે માહિતી એકત્રિત કરીને કેસ નોંધ્યો
બીજી બાજુ પોલીસ નવજાતને જીવતી દફનાવી દેવાના મામલે એક્શનમાં આવી ગઈ છે. એસઆઈ સતીશ ગર્ગે જણાવ્યું કે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે ગ્રામજનોની પણ પૂછપરછ કરી જેથી તેઓ તેમના ગામમાં અને આસપાસના વિસ્તારમાં ડિલિવરી વિશે માહિતી મેળવી શકે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં કઇ મહિલાઓની ડિલિવરી થવાની હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.