કોરોનાના સંકટ વચ્ચે મધ્યપ્રદેશમાં આજથી ધોરણ 10 અને 12ની શાળાઓ નિયમિત રીતે ચાલુ કરાશે. શાળાઓએ વાલીઓની મંજૂરી લેવી ફરજિયાત રહેશે આ સાથે ક્લાસમાં સામાજિક અંતર જાળવવા માટે એક બેંચ છોડીને એક બેંચમાં વિદ્યાર્થીને બેસાડાશે. સ્કૂલમાં તમામ વિદ્યાર્થીઓ માટે માસ્કની સાથે સ્કૂલમાં થર્મલ સ્કેનર, સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.
કોરોના સંકટ વચ્ચે મધ્યપ્રદેશમાં આજથી ખુલશે સ્કૂલો
વાલીની મંજૂરી સાથે ધો.10-12ના વર્ગ કરાશે શરૂ
શાળામાં સામાજિક અંતર જાળવવું ફરજિયાત
મધ્યપ્રદેશ બોર્ડે દિશા નિદેર્શો સાથે શાળાઓ ખોલવાના આદેશ આપ્યા છે. ધોરણ 10 અને 12ની શાળાઓ આજથી એટલે કે 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. નિયમિત રીતે શાળા શરૂ કરવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
कक्षा 10वीं और 12वीं की कक्षाएं 18 दिसंबर से संचालित होंगी -
---
स्कूल शिक्षा राज्यमंत्री श्री @Indersinghsjp ने कहा है कि कक्षा 10 वीं और 12वीं के विद्यार्थियों के लिए स्कूल आगामी 18 दिसंबर से नियमित रूप से पूरे निर्धारित समय तक के लिए संचालित होंगे। #JansamparkMPpic.twitter.com/aIyYr0Oljf
અધિકારીએ કહ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માતા પિતાની સહમતિના આધારે રહેશે. માતા પિતાની સહમતિ આખા સત્ર માટે માન્ય રહેશે. તેઓએ એમ પણ કહ્યું કે શાળામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ અનિવાર્ય રહેશે નહીં. જે વિદ્યાર્થીઓ વિદ્યાલયને બદલે ઓનલાઈન ક્લાસના માધ્યમથી ભણાવવા ઈચ્છે છે. તેમને તે માટેની મંજૂરી અપાશે.
આ સુવિધાઓ અપાશે
અધિકારીએ કહ્યું છે કે આવાસીય વિદ્યાલય ડે સ્કૂલના રૂપમાં ખોલાશે. વિદ્યાલયો દ્વારા મળતી પરિવહન સુવિધામાં વાહનોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની સુવિધા કરાશે અને સમયાંતરે વાહનોને પણ સેનેટાઈઝ કરાશે. દરેક સ્કૂલમાં શૈક્ષણિક સ્ટાફની હાજરી સો ટકાની રહેશે. આ સિવાય વિદ્યાલયમાં પ્રાર્થના, સામૂહિક ગતિવિધિઓ, ખેલકૂદ, સ્વિમિંગ પૂલ વગેરે બંધ રખાશે. બાળકો એકત્રિત ન થાય તેનું ધ્યાન રખાશે.