ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે નિધન થયું. લખનઉ સ્થિત ઘરે પીએમ મોદીએ તેમના અંતિમ દર્શન કર્યા.
પ્રધાનમંત્રી મોદીએ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ અર્પી
લખનઉ સ્થિત ઘરે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી
જેપી નડ્ડા અને સીએમ યોગી પણ રહ્યા હાજર
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણ સિંહનું શનિવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. કલ્યાણ સિંહને છેલ્લા દોઢ મહિનાથી લખનૌમાં SGPGI માં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ સિંહના અંતિમ દર્શન માટે રાજકીય હસ્તીઓ આવવા લાગી છે. તેમાં પીએમ મોદી પણ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપવા તેમના ધરે પહોંચ્યા છે. પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા પણ કલ્યાણસિંહના અંતિમ દર્શન માટે હાજર રહ્યા હતા . સીએમ યોગી પીએમ મોદીને લેવા માટે લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા. જે બાદ લખનઉ સ્થિત નિવાસે પહોંચી કલ્યાણસિંહને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
PM Modi paid his last respects to former UP CM Kalyan Singh at the latter's residence in Lucknow
"Kalyan Singh ji made Jan Kalyan his life mantra. He worked for the development of UP & the nation. He became synonymous with honesty & good administration," tweets PM Narendra Modi pic.twitter.com/MTUrPcR1VY
પ્રામાણિકતા અને સારા વહીવટનો પર્યાય હતા : પીએમ મોદી
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી કલ્યાણ સિંહજીએ જન કલ્યાણને તેમનો જીવન મંત્ર બનાવ્યો. તેમણે યુપી અને રાષ્ટ્રના વિકાસ માટે કામ કર્યું. તેઓ પ્રામાણિકતા અને સારા વહીવટનો પર્યાય બન્યા
યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપવા. અમિત શાહ, રાજનાથ સિંહ, મોહન ભાગવત અને રાધા મોહન સિંહ પણ કલ્યાણસિંહના અંતિમ દર્શન કરવા તેમના નિવાસ સ્થાને પહોંચવાના છે. યુપી સહિત અનેક મોટા રાજનેતાઓએ કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ આપી છે
સોમવારે અંતિમ સંસ્કાર ગંગા કિનારે થશે
પૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહનો મૃતદેહ લખનૌમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના અંતિમ દર્શન કરી શકાય છે. કલ્યાણસિંહનો મૃતદેહ આવતીકાલે બુલંદશહેર નરોરાના રાજઘાટ પર તેમના વતન અત્રૌલી 4 રસ્તે થઈ લાવવામાં આવશે. સોમવારે એટલે કે કાલે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર ગંગા ઘાટ પર થશે. અંતિમ સંસ્કારનું સ્થળ નરોરા દિબાઈ વિધાનસભા ક્ષેત્રનું છે, 1996માં કલ્યાણ સિંહ અહીંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. રાજઘાટ ગંગાના કિનારે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.