મોરબીના શનાળા ગામે યોજાયેલા લોકડાયરામાં યોગેશ ગઢવીએ કમાનો ઉપયોગ કરનારા અને સનાતન ધર્મ વિશે બોલાનારાઓને આડેહાથ લીધા.
મોરબીમાં સનાતન ધર્મને લઇ યોગેશ ગઢવીનું નિવેદન
સનાતમ ધર્મ વિશે બોલનારાને આડેહાથ લીધા
દુનિયામાં સૌથી પ્રાચીન સનાતન હિન્દુ ધર્મ છેઃ યોગેશ ગઢવી
મોરબી ખાતે કોરોના દિવંગતોના મોક્ષાર્થે શાનાળા ગામે આવેલી પટેલ વાડીમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પરિવાર દ્વારા આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ ભાગવત સપ્તાહમાં ગતરાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક કલાકાર યોગેશ ગઢવી, માયાભાઈ આહીર અને પૂનમબેને ડાયરામાં રમઝટ બોલાવી હતી.
સનાતમ ધર્મ વિશે બોલનારાઓને આડેહાથ લીધા
આ દરમિયાન લોક કલાકાર યોગેશ ગઢવીએ મંચ પરથી લોક કલાકાર યોગેશ ગઢવીએ સનાતમ ધર્મ વિશે બોલનારાઓને આડેહાથ લીધા હતા. આ ઉપરાંત તેમણે ડાયરામાં કમા વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું.
હું 20 વર્ષ પહેલાં નમો લઈને આવ્યો હતો: યોગેશ ગઢવી
લોક કલાકાર યોગેશ ગઢવીએ કહ્યું કે, મને કોઈકે કીધું કે યોગેશભાઈ તમે કમો લાવશો? ત્યારે મેં જવાબમાં કીધું કે કમો તો દિવ્યાંગ બાળક છે એને દુઃખી ન કરાય. તેની માનસિક સ્થિતિ શું હોય એ આપણે સમજી ન શકી તેથી તેને લવાય નહીં. આજકાલના કલાકારો ડાયરામાં કમો લઈને આવે છે. હું તો યોગશ ગઢવી છું. હું તો 20 વર્ષ પહેલા કમો નહીં નમો લઈને આવ્યો હતો. આખું ગુજરાત રાજ્ય સાક્ષી છે.
મહાદેવથી મોટા કોઈ દેવ નથી: યોગેશ ગઢવી
આ ઉપરાંત તેમણે સનાતન ધર્મને લઈને કહ્યું કે, જેને મારી માથે જે કરવું હોય એ કરી લેજો બાકી હું કહું છું કે દુનિયાનો સૌથી મોટો પ્રાચીન કોઈ ધર્મ હોય તો તે હિન્દુ સનાતન ધર્મ છે. જગતમાં ગમે એને માનાવા હોય પરંતુ મારા ભોળાનાથથી મોટા કોઈ નથી.
આ પહેલા રમેશ ઓઝાએ ઠાલવ્યો હતો આક્રોશ
આપને જણાવી દઈએ કે, શ્રીમદ્દ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું હજારો ભક્તજનો રસપાન કરી રહ્યા છે. યોગેશ ગઢવી પહેલા કથાકાર રમેશ ઓઝાએ દેવાધિદેવ મહાદેવ પર વિવાદિત નિવેદન આપનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે આક્રોશ ઠાલવ્યો હતો.
રમેશ ઓઝાએ તુલસીદાસે કરેલી પ્રબોધ વિશેની સમજણ વર્ણવી કહ્યું હતું કે, ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ, એમાં ક્રોધ પણ શું કરવો બિચાળા અને ભોળાનાથને પગે લગાવડાવે એને પ્રબોધ કેમ કહેવો? તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહાદેવથી મોટું કોઈ નથી, વ્યાસપીઠ કોઈના ઉપર રાગદ્વેષના કોગળા કરવા માટે નથી, વ્યાસપીઠ ઉપર બેસનારો ખૂબ વિવેકથી બોલે અને જે બોલવા જેવું હોય અને બોલવું જરૂરી હોય તે બોલે જ.