2021ના સાહિત્ય ક્ષેત્ર માટે નોબૅલ પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું છે જેમાં તાંઝાનિયાના સર્જકને આ સન્માન મળ્યું છે.
સાહિત્ય ક્ષેત્રનો નોબૅલ પુરસ્કારનું એલાન
નવલકથાકાર અબ્દુલરજક ગુરનાહની કરાઈ પસંદગી
1948માં થયો હતો અબ્દુલરજક ગુરનાહનો જન્મ
નવલકથાકાર અબ્દુલરજક ગુરનાહની ચાલુ વર્ષે નોબૅલ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.
નોબૅલ પુરસ્કાર માટે કરાઈ પસંદગી
વસાહતવાદના પ્રભાવ અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીની સ્થિતિના કરૂણ ચિત્રણને લઈને અબ્દુલરજકની પસંદગી નોબૅલ પુરસ્કાર માટે કરવામાં આવી હતી.
The 2021 Nobel Prize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents” pic.twitter.com/AOoprBEEbS
આપને જણાવી દઇએ કે, અબ્દુલરજક ગુરનાહનો જન્મ 1948માં થયો હતો તથા જંજીબાર દ્વીપ તેમનો ઉછેર થયો, જો કે, 1960ના દાયકાના અંતમાં એક શરણાર્થીના રૂપમાં તેઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. ગુરનાહની ચોથી નવલકથા 'પેરેડાઈઝ'એ તેમને લેખક તરીકે ઓળખ અપાવી હતી. 1990ના સમયગાળા આસપાસ પૂર્વીય આફ્રિકાની એક શોધ યાત્રા દરમિયાન તેમણે આ નવલકથા લખી હતી.