ભારતમાં કોરોના સંક્રમણનો કહેર અટકી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7964 કેસ આવ્યા છે. જ્યારે 265 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 86,422એ પહોંચી છે. આ તમામ વચ્ચે સારી વાત એ છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 11000થી પણ વધારે દર્દીઓ સાજા થયા છે. આ કારણે દેશમાં પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. ભારતમાં શુક્રવારે એક્ટિવ કેસની સંખ્યા 89987 હતી જે હવે 86422 થઈ છે.
દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધ્યો
24 કલાકમાં 11000થી પણ વધારે દર્દીઓ સાજા થયા
દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં નોંધાયો મોટો ઘટાડો
રિકવરી રેટમાં થયો વધારો
શુક્રવારે દેશણાં કોરોનાથી 11264 દર્દીઓ સાજા થયા હતા. જે હાલ સુધીનો સૌથી મોટો આંક છે. દેશમાં હાલ સુધઈમાં 82370 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે. ભારતમાં રિકવરી રેટ 47.70 સુધી પહોંચ્યો છે. ખાસ વાત તો એ છે કે તેમાં એક જ દિવસમાં મોટો વધારો જોવા મળ્યો છે. દેશમાં જ્યારે પહેલું લૉકડાઉન આવ્યું ત્યારે આ રેટ 7.1 ટકાનો હતો. બીજા લૉકડાઉનમાં આ રેટ 11.42 ટકા થયો અને તેમાં વધારો થયા બાદ તે 26.59 ટકાએ પહોંચ્યો હતો. 18 મેના જ્યારે લોકડાઉનનો ચોથો રાઉન્ડ શરૂ થયો ત્યારે તે 38 ટકાએ પહોંચ્યો. હવે આ રેટ 47 ટકાને પાર કરી ચૂક્યો છે. આવનારા દિવસોમાં તેમાં વધારો થવાની આશા છે.
મોતનો દર પણ ઓછો છે
અન્ય દેશની સરખામણીએ ભારતમાં મોતનો દર ઓછો છે. અહીં કોરોનાના 2.86 ટકા દર્દીના મોત થઈ રહ્યા છે. આ લિસ્ટમાં બેલ્જિયમ ટોપ પર છે. અહીં 16.24 ટકા દર્દીના મોત થઈ રહ્યા છે. ફ્રાંસમાં આ આંક 15.37 ટકાનો છે. ઈટલી અને બ્રિટેનમાં મોતનો આંક 14 ટકાથી વધારે છે. જ્યારે અમેરિકામાં તે 5.83 ટકા દર્દીઓના મોત થયા છે.
એક દિવસમાં સૌથી વધારે ટેસ્ટ
ભારતમાં હવે ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે એટલે કે 127761 સેમ્પલ ટેસ્ટ કરાયા છે. આ સૌથી મોટો રેકોર્ડ છે. ભારતમાં પણ હાલ સુધીમાં 3611599 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સરકારનો દાવો છે કે આવનારા દિવસોમાં રોજ દોઢ લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે.