ઉત્તરપ્રદેશના કુશીનગરમાં લગ્ન પ્રસંગ સમયે એક દુખદ ઘટના બની છે. જેમા કુવાની જાણી તૂટી જતા એકાએક લોકો નીચે પડ્યા જેમા 13 મહિલાઓનું કરૂણ મોત થયું છે.
હલ્દી કાર્યક્રમ વખતે કુવાં પરની જાળી તૂટી
જાળી પર ઉભેલા લોકો એકાએક કુવામાં પડ્યા
ઘટનામાં કુલ 13 મહિલાઓના કરૂણ મોત
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં ગત રોજ બુધવારે સાંજે એક ભયંકર અકસ્માત થયો જેમા 12 થી વધું મહિલાઓ અને યુવતીઓ કુંવા પડી પડી ગયા હતા. આ ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જે સમયે આ બનાવ બન્યો ત્યારે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનીકો દ્વારા તુરંત બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તેમ છતા આ ઘટનામાં કુલ 13 મહિલાઓના મોત થયા છે.
UP | 11 people died & two are seriously injured after they accidentally fell into a well. During a wedding program, some people were sitting on a slab of a well and due to heavy load the slab broke. An ex-gratia of Rs 4 lakh will be given to the kin of the deceased: DM Kushinagar pic.twitter.com/6PHeVYATp0
બનાવની જો વિગતવાર વાત કરીએ તો કુશીનગર જિલ્લામાં આવેલ નૌરંગિયા સ્કૂલ ટોલા પાસે એક ઘરમાં લગ્ન પ્રસંગ હતો. તે સમયે ગામની અમુક મહિલાઓ તેમજ યુવતીઓ કુવાની જાળી ઉપર ઉભી હતી. તેજ સમયે હલ્દીની રસમ ચાલી રહી હતી. જોકે તે સમયે જાળી પર વધારે વજન આવતા જાળી તૂટી ગઈ અને કૂંવા પર ઉભેલી દરેક મહિલાઓ અંદર પડી હતી.
UP | 13 women have died. The incident occurred last night at around 8.30 pm in the Nebua Naurangia, Kushinagar. The incident happened during a wedding program wherein some people were sitting on a slab of a well & due to heavy load,the slab broke: Akhil Kumar, ADG, Gorakhpur Zone pic.twitter.com/VaQ8Sskjl2
આ ઘટનાને લઈને તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી સાથે સ્થાનિકો દ્વારા બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જોકે બનાવને કારણે સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી સાથે જ પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી.
उत्तर प्रदेश के कुशीनगर में हुआ हादसा हृदयविदारक है। इसमें जिन लोगों को अपनी जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं। इसके साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन हर संभव मदद में जुटा है।
આ સમગ્ર મામલે પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો જેમા તેમણે એવું કહ્યું કે ઉત્તરપ્રદેશના કુશીનગરમાં જે ઘટના બની તે ખરેખર ખુબજ દુખદ ઘટના છે. જે લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને તેઓ સંવેદના વ્યક્ત કરે છે. સાથેજ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેના માટે પણ હું પ્રાર્થના કરુ છું. ટ્વીટમાં પીએમ મોદીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે સ્થાનીક પ્રશાસન દ્વારા શક્ય થાય તેટલી મદદ કરવામાં આવશે.
એમ્બ્યુલન્સ જલ્દી ન પહોચી શકી
ગ્રામજનોના કહેવા પ્રમાણે ઘટના બાદ એમ્બ્યુલન્સ પણ મોડા પહોચી હતી. સાથેજ ગ્રામજનોના કહેવા પ્રમાણે તેમણે 15 મહિલાઓને તો બચાવી લીધી સાથેજ 10 મોબાઈલોથી ફોન કરીને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો પરંતુ તેમ છતા એમ્બ્યુલન્સ જલ્દી ન પહોચી. ગ્રામજનોના કહેવા પ્રમાણે પ્રાઈવેટ ગાડીઓ તેમજ પોલીસની ગાડીઓમાં લોકોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.
Uttar Pradesh CM Yogi Adityanath extends condolences to the family of those who lost their lives after accidentally falling into a well during a wedding function in Kushinagar, yesterday night.
ઉલ્લેખનીય છે કે જે સમયે આ બનાવ બન્યો ત્યારે ગામના લોકોએ ટોર્ચ દ્વારા બચાવ કાર્ય શરૂ કર્યા હતા. સ્થળ પર તુરંત એક સીડી લાવવામાં આવી જેના દ્વારા અંદાજે 15 મહિલા અને યુવતીઓને બહાર કાઢવામાં આવી જોકે 13 મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કરી. ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે આ મામલે અધિકારીઓને આદેશ આપ્યા છે કે ઘાયલોને બને તેટલી સારી સારવાર આપવામાં આવે.