કોરોના વાયરસના કેસ વધવાને કારણે સરકારે પાછા ફરી રહેલા પ્રવાસી મજૂરો માટે શરતો રાખી છે. તેમને રાજ્યમાં પાછા ફરતાની સાથે જ રેપિડ ટેસ્ટ કરાવવો પડશે. એ બાદ તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં મોકલવામાં આવશે. આ 2 ગાઈડલાઈન ઉત્તર અને ઉત્તર પૂર્વ ભારતથી પાછા ફરી રહેલા પ્રવાસીઓ માટે રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં કોરોના કેસ વધી રહ્યા છે. હાલ અહીં સંખ્યા 12 હજારને પાર પહોંચી છે.
હાલ અહીં સંખ્યા 12 હજારને પાર પહોંચી છે
પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન બનાવવામાં આવી છે
મજૂરોને લઈને કંપનીઓ માટે નિયમો બનાવવામાં આવ્યા છે
પ્રવાસી મજૂરો માટે ગાઈડલાઈન
આ ગાઈડલાઈન મુજબ રાજ્યમાં જે પણ કોન્ટ્રાક્ટર અથવા કંપની મજૂરોને લઈને આવી છે. તેમને કોરોના ટેસ્ટનો તમામ ખર્ચ ઉઠાવવો પડશે. તેમજ તેમના ક્વોરેન્ટાઈનની વ્યવસ્થા પણ કરવાની રહેશે. આ સાથે ક્વોરેન્ટાઈનનો સમય પુરો થયા પછી 2 અઠવાડિયા તેમને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવશે. આ દરમિયાન તે કામ કરી શકશે પણ તેમને સ્થાનીક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવવો પડશે.
સરકારની ચિંતા
શ્રમ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે પ્રવાસી મજૂરોથી ચિંતામાં વધારો થયો છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે ઘણા મોટા કોન્ટ્રાક્ટરો સ્પેશિયલ બસમાં મજૂરોને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે. કેટલાક આવુ કરી પણ ચૂક્યા અને ક્વોરેન્ટાઈનની સુવિધા પણ આપી. પણ મજુરોનો એક મોટો વર્ગ નાના કોન્ટ્રાક્ટરો સાથે કામ કરે છે અને એક કેમ્પમાં રહે છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે જળવાય એ ચિંતાનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલો કેસ કેરળમાં આવ્યો હતો. જો કે મહિના પહેલા આ રાજ્યમાં સ્થિતિ સુધારા પર હતી. પણ કોરોનાની બીજી લહેર આવી છે અને રવિવારે એક દિવસમાં 13 સ્વાસ્થ્ય કર્મી સહિત કોરોનાના 821 નવા કેસ આવતા કુલ સંખ્યા 12 હજારથી વધારે થઈ ગઈ છે.