કાનપુરમાં દિવસેને દિવસે હવે ઝીંકા વાયરસના કેસ વધી રહ્યા છે. અહીયા શનિવારે બીજા નવા 13 કેસ નોંધાયા બાદ કુલ ઝીંકા વાયરસના દર્દીઓની સંખ્યા 79 થઈ ગઈ છે.
કાનપુરમાં ઝીકા વાયરસથી ખળભળાટ
માત્ર 12 દિવસમાં નોંધાયા 79 કેસ
ઝીંકા વાયરસને કારણે લોકોમાં ભયનો માહોલ
શનિવારે કાનપુરમાં ઝીકા વાયરસના વધુ 13 નવા કેસો નોધાય છે
યુપીના કાનપુરમાં દિવસે દિવસે ઝીકા વાયરસનો કેસ વધી રહ્યાં છે. શનિવારે જિલ્લામાં 13 નવા દર્દીઓમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ છે. તમામ સંક્રમિતોમાં છ બાળકો અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. દર્દીના યુરિન ટેસ્ટમાં ઝિકાની પુષ્ટિ થઈ છે. આ સાથે કાનપુરમાં કુલ દર્દીઓની સંખ્યા 79 પર પહોંચી ગઈ છે. સંક્રમિત દર્દીઓના વિસ્તાર અથવા તેમના ઘરની આસપાસ 400 મીટરની ત્રિજ્યામાં સાથે રહેતા સ્ક્રિનિંગ અને સેમ્પલ લેવાનું અભિયાનમાં વધુ ઝડપ વધારાઈ છે. સીએમઓ ડો. નેપાલ સિંહના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમ રિપોર્ટ તૈયાર કરી રહી છે. હજુ સુધી કોઈ દર્દી ગંભીર નથી. જો કે, જો જરૂર હોય અને બાળકોની સંખ્યા વધુ હોય, તો તેમને બાળરોગ ચિકિત્સકની દેખરેખ હેઠળ રાખી શકાય છે.
આ અંગે ડીએમ વિશાખ જી. અય્યરે કહ્યું કે, આ વાયરસ મચ્છરો દ્વારા ફેલાય છે. મચ્છરોના નાશ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ તાવના દર્દીઓ અને ગંભીર રીતે બીમાર લોકોને માર્કિંગ કરીને સારવાર આપી રહી છે. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગના અધિકારીઓને સર્વેલન્સ અને વાયરસ પરીક્ષણ માટે ઘરે-ઘરે જઈને સેમ્પલિંગ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સીએમ યોગીએ ટીમ-9ના અધિકારીઓને આપ્યા નિર્દેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ટીમ-9ના અધિકારીઓને સૂચના આપતા કહ્યું કે કાનપુરમાં ઝીકા વાયરસનો સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ કિસ્સામાં, ખાસ સાવધાની રાખવાની જરૂરી છે. ડેન્ગ્યુની તપાસ સઘન બનાવવી જોઈએ. અસ્વસ્થ લોકોની સારવાર માટે તમામ હોસ્પિટલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક દર્દીના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવી જોઈએ.