જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટરના પતિ સામે દારૂના કેસમાં કાર્યવાહી થતા કોર્પોરેટરના પતિએ પોલીસને વીડિયો જાહેર કરી ધમકી આપી છે. જેમા આરોપી પતિએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરવાની વાત કરી છે. વીડિયોમાં નીર્લિપ્ત રાયે ખોટા કેસમાં ફસાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસને પરિવાર સાથે આપઘાત કરવાની આપી ખોટી રીતે ધમકી
મહત્વનું છે કે પકડાયેલા દારૂના જથ્થામાં કોર્પોરેટરના પતિની સંડોવણીનો ખુલાસો થયો છે. સ્ટેટ મોનિટરિગ સેલ દ્વારા ધિરેન કારીયા સામે ગુનો દાખલ થયો છે. ફરિયાદ દાખલ થયા બાદ પોલીસને ધમકી આપતા કહ્યું કે હું અને મારો પરિવાર નિર્દોષ છીએ અમને ફસાવવામાં આવ્યા છે. એટલે અમે બધા જ આપઘાત કરશું. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસને ધમકી આપનારાઓને કેમ દંડવા ન જોઈએ?નેતા જ કાયદો તોડશે અને પોલીસને ધમકાવશે તો પોલીસ કામ કેવી રીતે કરશે?
આરોપી ધિરેન કારીયાએ વીડિયોમાં શું કહ્યું?
હું કોઈને નહીં છોડું.. નીર્લિપ્ત રાય સાહેબ તમારી ટીમે મારા પર ખોટો કેસ કર્યો છે, હું મારા બાપના પેટનો છું. મરી જઈશ ગોળી મારી દો. મારા બાપના શ્રાદમાં હતો હું અને મારા પર ખોટો કેસ દાખલ કર્યો તમારી ટીમે મે. મારી નાખોને ત્રેવળ હોય તો મને. ધિરેન કારીયા છું કોઈના બાપથી બીતો નથી. મારી ધરવાળી ભાજપની કોર્પોરેટર છે. કોઈદી દુરૂપયોગ નથી કર્યો, પરંતુ હવે પરિવાર સાથે મારી ઘરવાળી પણ આત્મહત્યા કરશે અને બધા મારા છોકરા સાથે અમે આત્મહત્યા કરશું. જો જો તમે અને તમારી જીંદગી બચાવજો મારા પર ખોટું કરનારા..