ગિરનારનાં જંગલમાંથી એક અલગ પ્રજાતિનો કરોળિયો મળી આવતા નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે કર્યું સંશોધન. પ્રજાતિને નરસિંહ મહેતાઈ નામ અપાતા ભારે વિવાદ.નામ બદલાઈ જશે
કરોળીયાની પ્રજાતિના નામથી વિવાદનો વંટોળ
આદ્ય કવિ નરસિંહ મહેતાનું નામ જોડતા વિવાદ
યૂનિવર્સીટીએ કહ્યું, તુરંતમાં જ બદલાશે પ્રજાતિનું નામ
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યૂનિવર્સીટી વિવાદોમાં આવી ગઈ છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ભારે વિરોધના મંડાણ વચ્ચે, હવે યૂનિવર્સીટીએ વિવાદને શાંત પાડવા અને સમાજની લાગણીને ધ્યાનમાં રાખી નિર્ણય બદલવાનો વિચાર કર્યો છે. સંભવત; સોમવારે વિવાદ શાંત પડી જશે. વિવાદનું મૂળ છે કરોળીયાની પ્રજાતિ. ગિરનારનાં જંગલમાંથી એક અલગ પ્રજાતિનો કરોળિયો મળી આવતા નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગે સંશોધન કર્યું હતું. આ કરોળિયા પ્રજાતિને નરસિંહ મહેતાઈ નામ અપાતા ભારે વિવાદ સર્જાયો છે. વૈશ્વિક નાગર સમાજમાં કરોળિયાના નામને લઇને ભારે રોષ વ્યાપ્યો છે. આટલું જ નહિ સરવા સોરઠ અને જુનાગઢ સાથે આત્મીય નાતો ધરાવતા લોકો, સ્થાનીય નાગરીકો, કલાકારો ,કવિઓ,સાહિત્યકારોએ નરસિંહ મહેતા યૂનિવર્સીટીનાં કુલપતિ ચેતનભાઇ ત્રિવેદીને ફોન કરી ,સંદેશા પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
નરસિંહ મહેતા યૂનિવર્સીટીનાં કુલપતિ ચેતનભાઇ ત્રિવેદીએ કહ્યુ કે, આ ઘટનામાં યુનિવર્સિટીની કોઇ સીધી ભૂમિકા નથી. અને નામકરણ પાછળ અમારો ખરાબ ઇરાદો નહીં.આ ઉપરાંત તાત્કાલિક કરોળિયા પ્રજાતિ માટે નવું નામ નક્કી કરવા અંગે પણ સૂચિત કરાયું છે. અને નવા નામની ત્વરિત જાહેરાત કરીશું.તેવું પણ જણાવાયું છે.
કરોળીયાની દુર્લભ પ્રજાતિ, નામ નરસિંહ મહેતાઈ
કરોળીયાની 150 પ્રજાતિઓ ભારતમાં અને 26 જેટલી દક્ષીણ એશિયામાં જોવા મળે છે. અલગ પ્રકારના કરોળીયાની શોધ ભક્ત કવિ નરસિંહ મહેતા યૂનિવર્સીટીની એક પી.એચ.ડી વિધાર્થીનીએ કરી છે. કરોળીયાની આ પ્રજાતિની માહિતી આપતા યૂનિવર્સીટીનાં પ્રાધ્યાપક ડો.જતિન રાવલે કહ્યું કે, કરોળીયાની વૈશ્વિક યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ગિરનારના વન્ય પ્રાણી અભયારણ્યમાં કરોળીયાની એક નવી પ્રજાતિ મળી આવી છે જેનું નામ 15મી સદીના વિખ્યાત સંત કવિ નરસિંહ મહેતાનાં નામ પર નરસિંહ મહેતાઈ રખાયું છે. કરોળીયાની શોધ સંત કવિ નરસિંહ મહેતા યૂનિવર્સીટીની એક પી.એચ.ડીની વિદ્યાર્થીનીએ કરી છે. કરોળીયાની આ પ્રજાતિની માહિતી આપતા યૂનિવર્સીટીનાં પ્રાધ્યાપક ડો.જતિન રાવલે કહ્યું કે, કરોળીયાની વૈશ્વિક યાદીમાં વધુ એક નામ જોડાયું છે,જ્યાં વર્તમાનમાં લગભગ 49 હજાર પ્રજાતિઓ છે.
સંત કવિ નરસિંહ મહેતા
જણાવી દઈએ કે, સંત કવિ નરસિંહ મહેતા પોતાની પ્રસિદ્ધ રચના 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ' માટે જાણીતા છે. આ ભક્તિ પદને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ ગાયું હતું. અને આ માધ્યમથી તેઓએ દુનિયાને અહિંસાના પાઠ ભણાવ્યા હતા. નરસિંહ મહેતા જૂનાગઢના રહેવાસી હતા. યૂનિવર્સીટીના પ્રાધ્યાપકે કહ્યું કે, આ જ કારણ છે કે, કરોળિયાનું નામ સંત કવિના નામ પર રાખવામાં આવ્યું છે.
હવે સોમવારે સંભવત;કરોળીયાની આ પ્રજાતિનું નામ બદલાઈ જશે ,સાથોસાથ વિરોધ પણ શમી જવાના એંધાણ છે