જેતપુરની ગુજરાતી વાડીમાં પતિએ ભત્રીજા સાથે મળી એક બાદ એક 12 જેટલા છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે
જેતપુરમાં એક મહિલાની હત્યા
પતિએ 12 છરીના ઘા ઝીંકી કરી હત્યા
પ્રસન્નબેન કહોર નામના મહિલાની હત્યા
જયારે સબંધમો મોટી તિરાડ પડે ત્યારે આપણું નજીકનું અને સૌથી વહાલું પણ દુશ્મન લાગવા લાવે અને આ સમયે બધા સબંધ ભૂલી ને વ્યક્તિ કોઈ પણ હદ સુધી જાય છે અને ન કરવાનું કરી બેસે છે. આવુજ કંઈક જેતપુરમાં બન્યું કે જ્યાં લાબું લગ્ન જીવન અને એક હસતો પરિવાર બરબાદ થયો, અહીં એક પતિ એ તેનાથી છૂટાછેડા લઈને રહેતી પત્ની ને મોત ને ઘાટ ઉતારી ને પરિવાર બરબાદ કરી નાખ્યો છે.
દીકરીની નજર સામે જ તેના પિતાએ માતાની કરી હત્યા
ઘટના છે આજ સવાર ની , રાજકોટ જિલ્લાના જેતપુરના ગુજરાતી વાડીમાં એક માતા તેના પુત્ર અને પુત્રી સાથે રહેતાં હતા, પુત્ર 14 વર્ષનો રવિરાજ અને પુત્રી પાયલ સાથે માતા પ્રસન્નબેન શાંન્તુભાઈ કહોર અહીં થોડા સમય થી રહેતા હતા અને આજે સવારે 9 : 45 ની આસપાસ તેવો ઘરે શાંતિ થી સુતા હતા ત્યારે તેની ઘરે તેનો પતિ અને તેનો ભત્રીજો આવ્યા અને પ્રસન્નબેન સાથે બોલાચાલી અને થઇ અને તેનો ભત્રીજો પ્રસંનબેન ઉપર છરી સાથે તૂટી પડ્યો અને આડેધડ 12 જેટલા ઘા માર્યા, પેટના ભાગે અને શરીર ઉપર લાગેલા છરીના ઘાથી ઘટનાસ્થળે જ પ્રસન્નબેન ઢળી પડ્યા હતા અને તને હોસ્પિટલે લઈ જવા પડ્યા હતા જ્યાં પ્રસન્નબેનનું મોત થયું હતું,ઘરની અંદર ઓરડામાં સુતેલા પ્રસન્નબેન ના પુત્રી પાયલ અને પુત્ર રવિરાજ ને બહારનો અવાજ આવતા જાગી ગયા હાતા ને જેમાં બંનેએ પોતાની માને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ
ઘરમાં આવતા-જતા દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ
પુત્રી પાયલે જયારે જોયું કે બે વ્યક્તિ ઓ મોઢે રૂમાલ બાંધીને તેની માતા પ્રસન્નબેન મારી રહ્યા છે ત્યારે તેણે મોઢેથી રૂમાલ કાંઢવા ઝપાઝપી કરી હતી જેમાં તેના પિતા દેખાયા હતા અને સાથે તેનો દાદાનો ભાઈ શિવરાજ પણ જોવા મળ્યો હતો જે તેની માતાને છરીથી મારી રહ્યો હતો. હત્યારા કાકા ભત્રીજાએ હત્યાને અંજામ આપીને ફરાર થઇ ગયા હતા, જયારે હત્યારો પતિ શાન્તુ અને ભત્રિજો શિવરાજ ઘરમાં જતા અને બહાર આવતા હતા ત્યારે CCTV માં કેદ થઇ ગયા હતા, હત્યા કરીને હત્યારા ઘરની બહાર નીકળતા હતા ત્યારે ભત્રીજો શિવરાજ લોહીવાળા હાથ લૂછતો જોવા મળ્યો હતો અને પછી તેવો એક બાઈક ઉપર ત્યાં થી ફરાર થઈ ગયા હતા
બંને બાળકો હવે થયા નોધારા
મૃતક પ્રસન્નબેનના લગ્ન શાન્તુભાઈ કહોર સાથે થયા હતા ને પરિવાર માં એક પુત્ર રવિરાજ ને એક મોટી પુત્રી પાયલ છે અને થોડા સમયથી પારિવારિક ઝગડાના પગલે પતિ પત્ની એ છૂટાછેડા લીધેલા છે અને બન્ને અલગ અલગ રહે છે, મળેલી માહિતી મુજબ પતિ પત્ની વચ્ચે ઝગડા ચાલતા હતા જેના પગલે પતિ શાન્તુભાઈ એ તેના ભત્રીજા શિવરાજ કહોર સાથે આજે સવારે પ્રસન્નબેનના ઘેર આવી ને પ્રસન્નબેન ને મોત ને ઘાટ ઉતાર્યા હતા. હાલ તો બંને સંતાનો છત્ર છાયા વગરના થઇ ગયા છે બાપ માં ની હત્યા માટે જેલમાં જશે અને માં આ બન્ને ને મૂકી ને સ્વધામ પહોંચી ગયા છે. હાલ તો ઝઘડામાં પરિવાર વેરવિખેર થવા સાથે બે નાદાન નોધારા થયા છે.