ઓમિક્રોન વેરિન્ટનો એક કેસ જામનગરમાં પણ સામે આવ્યો છે ત્યારે જે ઘરમાં આ કેસ આન્યો છે ત્યાં ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે
જામનગર મનપાની ગંભીર બેદરકારી
ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં નથી ગંભીર
કેસ આવ્યો ત્યાં ચાલતા હતા ટ્યૂશન ક્લાસ
જામનગરમાં મહાનગર પાલિકાની ગંભીર બેદકારી સામે આવી છે. દેશ અને દુનિયા દહેશત મચાવનાર ઓમિક્રોન વેરિન્ટનો એક કેસ જામનગરમાં પણ સામે આવ્યો છે ત્યારે જે ઘરમાં આ કેસ આન્યો છે ત્યાં ટ્યૂશન ક્લાસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘરમાં દર્દી પોઝિટિવ થયો હોવા છતા ટ્યૂશન ક્લાસ ચાલુ રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બે દિવસ સુધી ક્લાસ ચાલુ રખાતા જાગૃત નાગરિકે તંત્રને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સમગ્ર કિસ્સો કોર્પોરેટર જેનબ ખફીને ધ્યાને આવતા આરોગ્ય વિભાગે બાદમાં કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો ટ્યુશને આવતા 7 બાળકોને આઈડેન્ટિફાય કરી દેવામાં આવ્યા છે અને તેમનો ટેસ્ટ પણ કરવલામાં આવ્યો છે જ્યારે ટ્યૂશ આવતા અન્ય બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઓમિક્રોન કેસ નોંધાયો હોવા છતાં નથી ગંભીર
મહત્વનું છે કે કોરોનાનો નવો વેરિએન્ટ એ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક છે, અત્યાર સુધીમાં અનેક દેશોમાં કોરોનાના આ વેરિએન્ટે દહેશત મચાવી છે ત્યારે અને ભારતમાં પણ એમોક્રોમ વેરિએન્ટ પ્રવેસી ચુક્યો છે. જો કે ગુજરાતના જામનગરમાં માત્ર એક કેસ સામે આવ્યો છે. ત્યારે જે ઘરે કેસ પોઝિટિવ આવ્યો છે તે જ ઘરે ટ્યુશન ક્લાસ ચાલી રહ્યા હોવાનું સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે, ત્યારે મહાનગર પાલિકાની આટલું મોટી બેદરકારી મોંઘી પડી શકે છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દી પોઝિટિવ આવ્યા બાદ પણ તંત્રેએ કોઈ તકેદારીના પગલા લીધા નથી, કોન્ટેક્ટ ટ્રેસિંગની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે. ત્યારે કોરોના ઓમિક્રોન વેરિએન્ટ સામે તંત્ર ગંભીર ત્યારે બનશે તે પણ એક સવાલ છે.
ઓમિક્રોમની દહેશત વચ્ચે કોરોનાના 48 કેસ
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની દહેશત વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 48 કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. તો કોરોનાને માત આપીને 24 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 349 પર પહોચી છે.તો કોરોનાગ્રસ્ત 7 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. સુરતમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે 1-1 મૃત્યુ થયા છે. કોરોના કાળમાં રાજ્યભરમાં અત્યાર સુધી થઈ ચૂક્યા છે 10095 મૃત્યુ થયા છે તો અત્યાર સુધી રાજ્યમાં 817263 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા છે તો સુરતમાં 9, વડોદરામાં 7,ભાવનગરમાં 4 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.28 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.