બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / In Jamnagar, in 5 days, 37 coro positive, the school closed this week due to the infection of the student.

ફફડાટ / જામનગરમાં 5 દિવસમાં 37 કોરોના પોઝિટિવ, વિદ્યાર્થીની સંક્રમિત આવતા આ શાળા અઠવાડિયું બંધ

Mehul

Last Updated: 11:30 PM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં નંદ વિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતી ધો.6ની એક વિદ્યાર્થીનો કોરોના પોઝીટીવ. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વાલીઓમાં ચિંતા. શાળાને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય.

  • એક બાજુ ઓમિક્રોન,બીજી બાજુ કોરોના સંક્રમણ 
  • જામનગરમાં પાંચ દિવસમાં 37 કેસ કોરોનાના 
  • ઓમિક્રોનનો વધુ એક કેસ આવ્યો સુરતમાં 


રાજ્યના 3 દર્દીઓ હાલ જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ છેલ્લા પાંચ દિવસમાં જામનગરમાં કોરોનાના 37 દર્દીઓ નોંધાયા છે. કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યાં વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. જામનગરમાં આવેલા નંદ વિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતી ધો.6ની એક વિદ્યાર્થીનો કોરોના પોઝીટીવ આવ્યો છે. શાળા સંકુલ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વાલીઓમાં એક તબક્કે ચિંતા જોવા મળી છે. શાળામાં કોરોના પોઝીટીવ વિદ્યાર્થી આવતા જ શાળાને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવેલ અન્ય વિદ્યાર્થીઓ અને કલાસમેટના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ રહ્યાં છે. છતાં પણ શાળાનું ઓફ લાઇન શિક્ષણ બંધ કરી દેવાયું છે.

 જામનગરમાં  ઓમિક્રોન પોઝિટિવ કેસ 

પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. જામનગરમાં 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3 કેસો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. શહેરની બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે

આજના કોરોનાના કેસ

આજે રાજ્યભરમાં કોરોનાના વધુ 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 549 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેને લઇને રાજ્યભરમાં સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 10099ના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે. રાજ્યભરમાં આજે 2.56 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.55 કરોડથી વધુ ડોઝ અપાયા ચૂક્યા છે.

કયા જિલ્લામાં કેટલા કેસ?

રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. જ્યારે વડોદરામાં 13 કેસ, ભાવનગરમાં 5 કેસ, કચ્છમાં 5, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 5 કેસ, પાટણમાં 2 કેસ, સુરત જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા, ગાંધીનગરમાં વધુ 2 કેસ અને ગીર સોમનાથમાં એક કેસ નોંધાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ