ગાંધી-સરદારની ભૂમિ પર આ હરકત ચલાવી ન શકાય, IPC કલમ 153 મુજબ સામસામે ફરિયાદ
ગોડસેની પ્રતિમાના તોડફોડ મુદ્દે રાજકારણ
કોંગ્રેસ અને હિંદુ સેનાની સામ-સામે ફરિયાદ
ધાર્મિક લાગણી દુભાયાનો એકબીજા સામે આરોપ
ગાંધીના ગુજરાતમાં ગોડસેની પ્રતિમાથી વિવાદ સર્જાયો છે. જામનગરમાં હિન્દુ સેનાએ ખાનગી આશ્રમમાં નથુરામ ગોડસેની પ્રતિમા મુકતા વિવાદ સર્જાયો છે.હિન્દુ સેનાએ વહીવટી તંત્ર પાસે પણ પ્રતિમા મુકવા જગ્યાની ફાળવણી માટે માંગણી કરી હતી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા જગ્યા ન ફાળવતા ખાનગી આશ્રમમાં ગોડસેની પ્રતિમા મુકતા વિવાદ થયો હતો.વિવાદ સર્જાતા કોંગ્રેસના નેતાઓએ ગોડસેની પ્રમિતાને તોડી પાડી હતી.
બે મહિનાથી હિંદુ સેના કરી હતી તૈયારી
જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા. અગાઉ 8 ઓગસ્ટે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મૂકવા આયોજન કર્યું હતું. તંત્રએ પ્રતિમા મૂકવા માટે જગ્યાની ફાળવણી નહીં કરતાં સ્થાનિક હનુમાન આશ્રમમાં સોમવારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તથા મંદિરના મહંત સહિતના લોકોની હાજરીમાં ગોડસેની પ્રતિમા મુકાઈ હતી.
સામસામે ફરિયાદ
મહાત્મા ગાંધી અને ગોડસેને લઈને જામનગર એકદમ ચર્ચામાં આવી ગયું.જેને લઈને મુદ્દો બની જતા પોલીસ હરકતમાં આવી હતી.આજે સવારે પ્રતિમા તોડી પાડવામાં આવ્યા બાદ પોલીસે સ્થળ પર પહોચી પંચનામું કરી બંને પક્ષે અટકાયત કરી લેવા આવી. ત્યારબાદ બંને પક્ષે પોત પોતાની લાગણી દુભાયાની ફરિયાદ દાખલ કરાવી હતી.જેને લઈને પોલીસે હિન્દુ સેનાના પ્રમુખ સહીત છ અને સામા પક્ષે કૉંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેટર ધવલ નંદા સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે બન્ને પક્ષના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
એક હત્યારાની પ્રતિમા કેમ બનાવાઈ?
ગુજરાતમાં આવા ગોડસેવાદીઓ કોણ છે?
ગોડસેનું સમર્થન એટલે હિંસાનું સમર્થન એ વાત કેમ નથી સમજાતી?
જે ધરતીએ મહાત્મા આપ્યા ત્યાં ગોડસેનું સ્થાન કેમ?
ગાંધી-સરદારની ભૂમિ પર આ હરકત ચલાવી ન શકાય : અમિત ચાવડા
ગાંધીના ગુજરાતમાં ગોડસેની જામનગર નજીક પ્રતિમા મુકાઈ છે તે સમગ્ર ગુજરાતના ગાંધીના ગૌરવ માટે કઠોર આઘાત સમાન છે જોકે હિન્દુઓનો ઠેકો લઈ ફરનારા લોકોએ આઝાદીમાં કોઈપણ પ્રકારનો ભાગ લીધો નથી, સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું કૃત્ય થશે તો કોંગ્રેસ તેનો જવાબ આપશે,કાયદાની વિરુદ્ધ પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ, ભાજપ મૂક પ્રેક્ષક બની રહી છે
ગાંધી વિરુદ્ધ ગોડસેની ચર્ચા દેશમાં કેટલાક વર્ષોમાં બળવતર બની છે, પરંતુ કડવું છતા સત્ય એ છે કે આ વખતે ચર્ચાનું કેન્દ્ર ગુજરાત બન્યું છે.. જામનગરમાં હિંદુ સેના નામના સંગઠને ગોડસેની પ્રતિમા સ્થાપી જેને કોંગ્રેસે તોડી પાડી.. સામસામે ફરિયાદો થઈ અને મામલો હજુ યથાસ્થિતિમાં છે.. સવાલ એ છે કે જે ગુજરાત મહાત્મા ગાંધીની કર્મભૂમિ હતી અને જયાં ગાંધી વિચારો આજે પણ અસ્તિત્વમાં છે ત્યાં આ પ્રકારની હરકત કેમ થઈ.. ગાંધી ઉપર સવાલ કરતી એ પેઢીને ખરેખર પૂછવાનું મન થાય કે આઝાદીની લડાઈ વિશે તેઓ કેટલું જાણે છે, શું જાણે છે અને તેમની માહિતીનો સ્ત્રોત કયો છે?, જે પેઢી ગોડસેની તરફેણ કરે છે તેના એવા તો કયા કારણો છે અને ગુજરાતમાં આવી વિચારસરણીનો ઉદભવ થયો તો થયો કેવી રીતે