પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગમાં સેનાના ત્રણ જવાન શહીદ થયા છે અને ત્રણ નાગરિકોના પણ મોત થઈ ગયા હતા. સીઝફાયરના ભંગ અંગે ભારતે પણ વળતી કાર્યવાહી કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે પાકિસ્તાનના બંકરને ઉડાડી 8 સૈનિકોને ઠાર કર્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને કર્યું હતું ફાયરિંગ
ભારતના ત્રણ જવાન અને ત્રણ નાગરિકોના થયા હતા મોત
સેના એ પાકિસ્તાની બંકરને ઉડાવી 8 પાકિસ્તાનીને કર્યા ઠાર
પાકિસ્તાને બારામુલ્લા જિલ્લાના હાજીપીર વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું, આ સિવાય, પાકિસ્તાને તંગધાર સેક્ટર અને ગુરેઝ સેક્ટરમાં પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. નોંધનીય છે કે ભારતમાં હાલમાં દિવાળીના તહેવારનો માહોલ છે બરાબર ત્યારે જ ભારતમાં માતમ ફેલાવવા માટે પાકિસ્તાન દ્વારા આ પ્રકારનું કાયરતાપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું, જેનો ભારતીય લશ્કરે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનને માતમ બનાવવા મજબૂર કરી દીધું છે.
પાકિસ્તાને કર્યું હતું સીઝફાયરનું ઉલ્લંઘન
શુક્રવારે પાકિસ્તાન તરફથી સરહદ પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉત્તર કાશ્મીરમાં LOC સાથે જોડાયેલા ત્રણ ક્ષેત્રમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ ફાયરિંગમાં ભારતીય સેનાના ત્રણ જવાનોના મોત નીપજ્યાં છે. માર્યા ગયેલા સૈનિકોમાં BSF ના એક SI ને બે જવાનો સામેલ છે, તે જ સમયે, ત્રણ નાગરિકો પણ ગોળીબારમાં માર્યા ગયા હતા.
ભારતીય લશ્કરે પણ પાકિસ્તાનની આ હરકતનો યોગ્ય જવાબ વાળતા ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી અને પાકિસ્તાનના બંકરો પર સીધો જ હુમલો કર્યો હતો, આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના બંકરોને ઉડાડી દેવામાં આવ્યા હતા જેમાં 8 પાકિસ્તાની સૈનિકોને ઠાર કરાયા હતા.
મહત્વનું છે કે ના BSF ના SI રાકેશ ડોવલ પાકિસ્તાન દ્વારા સીઝફાયર ઉલ્લંઘનમાં શહીદ થયા હતા, ત્યારબાદ આ ગોળીબારમાં સેનાના અન્ય બે જવાન પણ શહીદ થયા હતા. તે જ સમયે, ત્રણ સામાન્ય નાગરિકોનાં મોતનાં સમાચાર પણ છે. બીજા નાગરિકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને આપ્યો હતો યોગ્ય જવાબ
પાકિસ્તાને બારામુલ્લા જિલ્લાના હાજીપીર વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું, આ સિવાય, પાકિસ્તાને તંગધાર સેક્ટર અને ગુરેઝ સેક્ટરમાં પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો, મોર્ટાર ફાયર કર્યા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના ફાયરિંગમાં સરહદ નજીકના મકાનને નુકસાન થયું છે, જ્યારે એક મહિલા પણ ઘાયલ થઈ છે.
પાકિસ્તાન દ્વારા આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છેપ, નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ ભારતીય સેના પાકિસ્તાનના 3 આતંકીઓને થર કર્યા હતા.