અમદાવાદના ઈસનપુરની સુમન સજની સોસાયટીમાં રહેતા પરિવારના દીકરાએ જ માતા-પિતાની કરી હત્યા, વંદનાબેન પંડયા, અમૂલભાઈ પંડયાની દીકરા વરૂણે કરી હત્યા
અમદાવાદમાં દીકરાએ જ પોતાના માતા-પિતાની કરી હત્યા
ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં બની ઘટના
વંદનાબેન પંડયા, અમૂલભાઈ પંડયાની દીકરા વરૂણે કરી હત્યા
અમદાવાદમાં ઘોર કળયુગનો એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગા દીકરાએ જ માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. ઇસનપુરની સુમન સજની સોસાયટીમાં એક દીકરો પોતાના માતા-પિતાની હત્યાનું કારણ બન્યો છે. જે માતા-પિતાએ જીવન આપ્યું અને જીવનની જરૂરિયાતો પુરી કરી છે. તેમને મોતની ભેટ આપનારો ખુદ તેમનો દીકરો જ હશે. તેવી કલ્પના પણ કરી હશે નહીં. ઈસનપુરના પંડ્યા પરિવારમાં આ ઘટના બની છે. માતા વંદનાબેન પંડયા અને પિતા અમૂલભાઈ પંડયાની દીકરા વરૂણે હત્યા કરી દીધી છે.
માતા-પિતાની હત્યા બાદ દીકરાએ કર્યો આપઘાતનો પ્રયાસ
વરૂણે માતા-પિતાની હત્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર વરૂણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. ઈસનપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે. વરૂણે પોતાના જ માતા-પિતાની હત્યા શા માટે કરી છે. તે વાતને લઈ હવે પોલીસ પણ પૂછપરછની રાહ જોઈ રહી છે.