BCCIનો આ નિયમ આવશે તો મેચમાં 11ને બદલે 15 ખેલાડીઓ રમવા માટે યોગ્ય બનશે. આ નિયમને 'ઈમ્પેક્ટ પ્લેયર' નામ આપવામાં આવી શકે છે.
BCCIનો આ નિયમ આવશે તો મેચમાં 11ને બદલે 15 ખેલાડીઓ રમી શકશે
આવતા વર્ષે IPL માં લાગુ થઈ શકે છે આ નવો નિયમ
BCCI સર્ક્યુલર બહાર પાડ્યું
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે નવો નિયમ લાવવાની તૈયારીમાં છે. જો BCCIનો આ નિયમ આવશે તો મેચમાં 11ને બદલે 15 ખેલાડીઓ રમવા માટે યોગ્ય બનશે. આ નિયમને 'ઈમ્પેક્ટ પ્લેયર' નામ આપવામાં આવી શકે છે. જો કે આ નવા નિયમના પરીક્ષણ માટે તેને પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં લાગુ કરવામાં આવશે. BCCI સૌથી પહેલા 11 ઓક્ટોબરથી શરૂ થનારી T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી આ નવો નિયમ લાગુ કરી શકે છે.
આવતા વર્ષે IPL માં લાગુ થઈ શકે છે આ નવો નિયમ
ડોમેસ્ટિક ક્રિકેટમાં આ નવા નિયમના ટેસ્ટિંગ પછી આ 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ આવતા વર્ષની IPL 2023ની સીઝનમાં પણ લાગુ થઈ શકે છે. જો કે આ નિયમ 'એક્સ ફેક્ટર'ના નામે ઓસ્ટ્રેલિયન ટૂર્નામેન્ટની બિગ બેશ લીગ (BBL)માં પહેલાથી જ લાગુ થયેલ છે પણ એ નિયમમાં ત્યાં 15ને બદલે 13 ખેલાડીઓને રમવાની છૂટ આપવામાં આવી છે.
BCCI સર્ક્યુલર બહાર પાડ્યું
જણાવી દઈએ કે BCCIએ તમામ રાજ્યોને એક સર્ક્યુલર મોકલી આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'T20 ક્રિકેટની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે કંઈક નવું લાવવાની તૈયારી કરીએ છીએ. તેના દ્વારા ફેન્સની સાથે સાથે પ્લેયર્સ અને ટીમો માટે પણ આ ફોર્મેટને વધુ રસપ્રદ બનાવી શકાય છે. કેવા પ્રકારના નિયમો હશે તે પણ સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું.
કેવો હશે ઈમ્પેક્ટ પ્લેયર નો નિયમ?
જણાવવામાં આવેલ નિયમ અનુસાર, 'ટીમ (કેપ્ટન)એ ટોસ સમયે પ્લેઇંગ-11 વિશે તો કહેવાનું રહેશે જ અને આ સાથે 4 અન્ય ખેલાડીઓના નામ પણ અવેજી તરીકે આપવા પડશે અને આ ચાર ખેલાડીઓમાંથી કોઈપણ એકને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમ હેઠળ પ્લેઈંગ-11માં સામેલ ખેલાડી સાથે બદલી શકાય છે.'
જે પણ ખેલાડીનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ કરવામાં આવશે એ ખેલાડી મેચ રમશે અને પ્લેઇંગ-11માંથી બહાર કાઢવામાં આવેલ ખેલાડી મેચ નહીં રમી શકે. જો કે એ ટીમ પછી તે ખેલાડી પાસે ફિલ્ડિંગ પણ નથી કરાવી શકાતું. મેચમાં ટાઈમ બ્રેક સમયે પણ એ ખેલાડીનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
ટીમને એક ફાયદો ચોક્કસપણે થશે કે બોલરને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે સામેલ કરવામાં આવે છે, તો તે તેની સંપૂર્ણ 4 ઓવર ફેંકી શકે છે. બહાર કરવામાં આવેલ બોલર કેટલી ઓવર ફેંકવાનો હતો કે નહીં તેની અસર 'ઈમ્પેક્ટ પ્લેયર' પર પડશે નહીં.
જો કે ટીમ કેપ્ટન કે મેનેજમેન્ટે એક વાત ધ્યાનમાં રાખવી પડશેકે એમને 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમનો ઉપયોગ કરતા પહેલા ફિલ્ડ અમ્પાયર અથવા ફોર્થ અમ્પાયરને જાણ કરવાની રહેશે.
BCCIના નિયમો અનુસાર, મેચ દરમિયાન બંને ટીમની ઇનિંગની 14મી ઓવર પહેલા 'ઈમ્પેક્ટ પ્લેયર'નો ઉપયોગ કરી શકશે.