સતત પ્રગતિ કરતાં આ વૈજ્ઞાનિક યુગમાં જો કોઇ કહે કે માણસોની જેમ મૂર્તિઓ પણ વાત કરે છે તો કદાચ જ કોઇ વિશ્વાસ કરી શકે. પરંતુ આ બધા વચ્ચે કંઇક એવું પણ છે જ્યાં વિજ્ઞાન પણ પાછળ પડી જાય છે અને વિશ્વાસ ટકેલો રહે છે.
જી હાં અમે વાત કરી રહ્યા છીએ બિહારના રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિરની. 400 વર્ષ જૂના આ મંદિરમાં મૂર્તિઓ માણસોની જેમ વાત કરે છે. મતી માહિતી અનુસાર આ મંદિરની સૌથી અનોખી માન્યતા એ છે કે નીરવ રાત્રીમાં અહીંની સ્થાપિત મૂર્તિઓની બોલવાનો અવાજ આવે છે. મધ્ય રાત્રિમાં જ્યારે લોકો અહીંથી પસાર થાય છે તે ઓ લોકોને અવાજ સંભળાય છે. કેટલાક લોકો એને ભ્રમ માનતાં હતા પરંતુ હવે વૈજ્ઞાનિકો પણ એને માનવા લાગ્યા છે. જ્યારે મંદિરના પરિસરમાં કોઇ હોતું નથી તો અહીંયા સ્વર ગૂંજતા રહે છે. તંત્ર સાધના માટે પ્રસિદ્ધ બિહારના એક માત્ર મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે આ મંદિરમાં કંઇક અજીબ વાત તો છે.