કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે હાલમાં લગભગ 260 રસી ટ્રાયલ અને ડેવલપમેન્ટના અલગ અલગ તબક્કામાં છે અને જેમાંથી 8 રસી ભારતમાં બનાવવામાં આવી રહી છે, જેમાંથી 3 રસી સ્વદેશી છે.
ભારતમાં હાલમાં 8 વેક્સિન પર કામ શરૂ છે : ડો. હર્ષવર્ધન
કુલ 260 જેટલા વેક્સિનેશન પ્રોજેક્ટ અલગ અલગ તબક્કામાં છે
કોરોના રસી વિશે મહત્વપૂર્ણ માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના રસીની અસરકારકતાના મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. .કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું કે હાલમાં 260 રસી ડેવલપમેન્ટના અલગ અલગ તબક્કાના પ્રયોગોમાં સામેલ છે, જેમાંથી 8 રસી ભારતમાં બનાવવામાં આવી રહી છે, જેમાં 3 રસી સ્વદેશી છે.
260 vaccine candidates are in different stages of development, of these 8 are scheduled to be manufactured in India incl 3 indigenous ones. We're ensuring there's no compromise on scientific & regulatory norms from safety of trials to efficacy of vaccines: Union Health Minister https://t.co/h9SZXvKxaK
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દ્વારા આજે વર્લ્ડ બેંક આયોજિત દ્વારા વીડિયો કોન્ફરન્સિંગમાં ભાગ લઇને કોરોના વાયરસ સામે દક્ષિણ એશિયાના રસીકરણ અંગેની આંતર મંત્રાલયની બેઠકને સંબોધન કરતી વેળાએ રસી વિશેની માહિતી આપી હતી.
મહત્વનું છે કે હાલમાં ઘણા દેશોમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, ખાસ તો બ્રિટનમાં તે શરૂ થઈ ગયું છે. સાઉદી અરેબિયામાં ફાઈજરની રસીને મંજૂરી મળી છે અને ચીન અને રશિયામાં પણ લોકોને રસી અપાઈ રહી છે.
ભારતમાં શું છે સ્થિતિ ?
ભારત પાસે દુનિયાની સૌથી વધુ સાર વેક્સિન બનાવવાની સુવિધા છે, જેને લઈને વિશ્વના અન્ય દેશોમાં બનેલી રસીઓ માટે પણ તેને બનાવવાના વિકલ્પ તરીક ભારત એક પ્રમુખ દેશ છે, પીએમ મોદીએ કરેલી જાહેરાત પ્રમાણે ભારતને ટૂંક સમયમાં વેક્સિન મળશે અને હાલમાં ભારતમાં 8 કોરોના વેક્સિન પર કામ થઈ રહ્યું છે જેમાંથી ત્રણ સ્વદેશી છે. જો કે તેની સાથે જ હાલમાં ઇમરજન્સી ઉપયોગ માટે DCGI ની સામે ત્રણ વેક્સિન કંપનીઓની અરજી પેન્ડિંગ પડી છે.