ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ 1 દિવસમાં સૌથી વધુ વધ્યું છે. ભારતમાં 1 દિવસમાં 16922 નવા કેસ આવ્યા છે અને 418 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં આજે કોરોનાના કુલ કેસની સંખ્યા 4.73 લાખને પાર પહોંચી છે. કુલ મૃત્યુઆંક પણ 14894 થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં 1,86,514 લોકોની સારવાર ચાલી રહી છે અને 2,71, 696 લોકો સાજા થયા છે.
ભારતમાં 1 દિવસમાં 16922 નવા કેસ, 418 મોત
કુલ મૃત્યુઆંક પણ 14894 થયો
દેશમાં આજે કોરોનાના કેસની સંખ્યા 4.73 લાખને પાર
મળતી માહિતી અનુસાર દેશમાં અત્યારસુધીમાં 57.43 દર્દીઓ સાજા થયા છે અને સાથે 24 કલાકમાં 418 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 208, દિલ્હીમાં 64 લોકોના મોત થયા છે. તમિલનાડુમાં 33, ગુજરાતમા 25, કર્ણાટકમા 14, પ. બંગાળમાં 11, રાજસ્થાન અને હરિયાણામાં 10-10 લોકોના મોત થયા છે.
भारत में पिछले 24 घंटों में #COVID19 के सर्वाधिक 16,922 नए मामले सामने आए हैं और 418 मौतें हुई हैं। कुल पॉजिटिव केस की संख्या 4,73,105 है जिसमें 1,86,514 सक्रिय मामले, 2,71,697 ठीक / डिस्चार्ज / माइग्रेट और 14,894 मौतें शामिल हैं: स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय pic.twitter.com/ksZ7rsDmMk
દેશમાં અત્યારસુધીમાં કોરોનાનો રિકવરી રેટ 57. 4 ટકા થયો છે જ્યારે મૃત્યુદર 3.1 ટકા રહ્યો છે. બુધવારે પણ 2 લાખ ટેસ્ટ કરાયા છે. મંગળવારની સરખામણીએ આ સંખ્યા 7324 જેટલી ઓછી છે. ICMR અનુસાર દેશમાં અત્યારસુધીમાં 75 લાખ દર્દીઓની તપાસ થઈ છે.
તે જ સમયે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનામાં છેલ્લા 24 કલાકમાં 4,161 લોકો સાજા થયા છે. જે બુધવારે જાહેર થયેલા આંકડા કરતા 271 વધુ છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત એવા ત્રણ રાજ્યો છે જ્યાં હાલમાં 10,000 થી વધુ સક્રિય કેસ છે. આ સાથે એવા ચાર રાજ્યો છે જ્યાં 5,000થી વધુ સક્રિય કેસ છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.