સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતમાં જુલાઈમાં કોરોનાના કેસો ચરમ સીમાએ હોવાના એંધાણ છે અને આ મહામારીથી 18 હજાર લોકોના મોત થઈ શકે છે. દેશમાં હાલમાં મહામારીના વધતા ચરણમાં છે. સેન્ટર ફોર કન્ટ્રોલ ઓફ ક્રોનિક કંડિશન(સીસીસીસી)ના પ્રોફેસર ડી. પ્રભાકરણે બુધવારે કહ્યું કે, જુલાઈમાં શરુઆતમાં સંક્રમણ ચરણ સીમા પર હશે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતમાં વાસ્તવિક મૃત્યુદર ત્યારે ખબર પડશે જ્યારે મહામારી પુરી થશે
વધુ ઉંમરના લોકોને વધારે ખતરો
આ સંકલન પ્રકાશિત વિભિન્ન મોર્ડવોના અધ્યયન પર આધારિત છે. જેમાં જોવા મળ્યુ છે કે અન્ય દેશોમાં કેસો કેવી રીતે વધી રહ્યા છે અને કેવી રીતે ઓછા થઈ રહ્યા છે. તેના પ્રમાણે ભારતમાં અંદાજીત 3 ટકાના મૃત્યુદરથી લગભગ4થી 6 લાખ કેસો હશે. એટલે કે 12થી 18 હજાર લોકોના મોત થશે.
ભારતમાં ઓછા મૃત્યુદર અને આના શક્ય કારણો પર પ્રભાકરણે કહ્યુ કે વાસ્તવિક મૃત્યુદરનો પણ અંદાજ આવશે જ્યારે મહામારીનો અંત આવશે. જોકે જે મર્યાદિત ડેટા મળ્યો છે. તેના અનુસાર મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. મને લાગે છે કે ઈટલી અથવા અમેરિકાની સરખામણીએ ભારતમાં યુવાનોની સંખ્યા વધારે હોવાનું એ મહત્વનું કારણ છે.
ઉમર એક મહત્વપુર્ણ કારણ છે કેમ કે ઉમર વધારે હોવાથી બિમારીની ઝપેટમાં હોવાનું કારણે વધારે છે. તેમણે કહ્યુ કે બીસીજી રસીકરણ, સંક્રમણના સંપર્કમાં આવવું, અસ્વાભાવિક પરિસ્થિતિઓ સામે રોગપ્રતિકારણ ક્ષમતામાં વૃદ્ધિ, ગરમ મૌસમ સહિતના અન્ય કારણ પણ છે. પરંતુ આને લઈને કોઈ સ્પષ્ટ પ્રમાણ નથી.
દક્ષિણ એશિયામાં મૃત્યુદર ઓછો
હૈદરાબાદમાં સ્થિત ઈન્ડિયન ઈસ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર પ્રોફેસર જીવીએસ મૂર્તિએ કહ્યું કે દક્ષિણ એશિયામાં મૃત્યુદર ઓછો છે .શ્રીલંકામાં પ્રતિ એક લાખ પર 0.4 ટકા છે. જ્યારે ભારત, સિંગાપુર, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મલેશિયામાં પ્રતિ લાખની વસ્તીએ મૃત્યુદર ઓછો છે. જો કે એ કહેવુ અઘરુ છે આ દેશોમાં આવું કેમ છે.