દેશમાં સંક્રમણના ફેલાવાની વચ્ચે 'ફોલ્સ નેગેટિવ' દર્દી મળવાના કારણે સરકારની ચિંતા વધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં હજુ પણ કોરોનાના લક્ષણો વિનાના સંક્રમિત લોકો મળી રહ્યા છે. આ ચિંતાની વાત છે. એવા દર્દીઓથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધારે રહે છે. આ દર્દીઓને 'ફોલ્સ નેગેટિવ' દર્દીઓ કહેવામાં આવે છે. આવા દર્દીઓની સંખ્યા 30 ટકાથી પણ વધારેની છે.
કોરોનાના સંકટને લઈને વધી ચિંતા
ભારતમાં 'ફોલ્સ નેગેટિવ' દર્દીઓની સંખ્યા વધી
ભારતમાં 30 ટકાથી પણ વધારે દર્દીઓ 'ફોલ્સ નેગેટિવ'
મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણ ફેલાય તે માટેની ચિંતા જાહેર કરી છે. તેઓએ કહ્યું છે કે સ્વાસ્થ્ય કર્મીઓ સુરક્ષિત રહે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે દીક્ષા નામનું ટ્રેનિંગ મોડ્યુલ તૈયાર કર્યું છે. જેનાથી નર્સિંગ સ્ટાફ અને દરેક વોલેન્ટિયરને માહિતી આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર ચેપ અટકાવવા માટે કરી રહી છે કામ
આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે કેન્દ્ર સરકાર ચેપ અટકાવવા માટે રાજ્યો સાથે સતત કામ કરી રહી છે. કેસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ આપણી ક્રિયા પણ તીવ્ર બને છે. અમારો પ્રયાસ ચેપને તોડવાનો છે. તેથી જ રાજ્યોમાં હૉટસ્પોટ વિસ્તારોમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.
આવનારા 4 દિવસમાં વધી શકે છે દર્દીઓની સંખ્યા
કોરોના દર્દીઓની સંખ્યા અઠવાડિયાના અંતમાં 10 હજાર સુધી પહોંચી શકે છે એટલે કે બાકીના ચાર દિવસમાં કોરોના સંક્રમણનો આંક વધશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બે દિવસમાં દર્દીઓની સંખ્યા 34 ટકા વધીને 4,789 થઈ ગઈ છે. જો કે, પાછલા બે દિવસની તુલનામાં આ વધારો સૌથી ધીમો છે.
સરકારે કોરોના રિપોર્ટની તપાસ બનાવી ઝડપી
સરકારે એપ્રિલ 1 થી 7 દરમિયાન ત્રણ ગણી ઝડપે તપાસ હાથ ધરી હતી. આ અઠવાડિયે પોઝિટિવ દર્દીઓએ 100 નમૂનાઓ દીઠ સરેરાશ 2.3 થી 5.7% પ્રાપ્ત કર્યો છે. 21 દિવસના લૉકડાઉનને કારણે માત્ર વિદેશથી આવનારા અથવા તેમના સંપર્કમાં આવતા લોકોની જ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, હૉટસ્પોટ સ્ક્રિનિંગ, તપાસ અને ડોર-ટુ-ડોર સર્વે વિદેશથી આવનારા અને સંપર્ક કરનારા લોકો ઉપરાંત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.