પોરબંદરમાં આવેલી નિરમા કંપનીમાં વારંવાર અકસ્માતને કારણે સરકાર દ્વારા બંધ કરવામાં આવી તો ઓરીએન્ટ કંપની પાસે કાચો માલ ન હોવાથી તે પણ બંધ કરવાની નોબત
પોરબંદરમાં બે કંપનીઓ બંધ થતા કામદારો બેકાર
ઓરિએન્ટ કંપની અને નિરમા કેમિકલ્સ થઇ બંધ
બંને કંપનીના કામદારોનો બગડી ગયો દીપાવલી પર્વ
પોરબંદરની જીવાદોરી સમાન ગણાતા બે ઉદ્યોગો બંધ થતા પોરબંદર ઉપર આભ તૂટવા જેવી સ્થિતિ સર્જાઇ છે. પોરબંદરમાં આવેલી નિરમા કંપનીમાં વારંવાર અકસ્માતને કારણે સરકાર દ્વારા બંધ કરવામાં આવી તો ઓરીએન્ટ કંપની પાસે કાચો માલ ન હોવાથી તે પણ બંધ કરવાની નોબત આવી છે. પોરબંદરમાં બંધ થઇ રહેલી કંપનીઓને કારણે હાલ રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ઓરિએન્ટ કંપનીમાં 1250 જેટલા કામદારો બેકાર બન્યા છે તો નિરમા કંપનીને પણ સરકારી આદેશથી બંધ કરાવવામાં આવતા કર્મચારીઓ બેકાર બન્યા છે. નવરાત્રીના સમયમાં કંપનીઓ બંધ થતાં કર્મચારીઓની દિવાળી બગડી ગઇ છે.
નિરમા કેમિકલ્સમાં દુર્ઘટના
પોરબંદરની એક કેમિકલ કંપનીમાં ઘટેલી એક દુર્ઘટનામાં 2 કામદારના મોત નિપજતા નિરમા ફેક્ટરી બંધ કરવાનો આદેશ અપાયો છે.આ દુર્ઘટનામાં ચાર કામદારો પણ ઈજાગ્રસ્ત થયા હતા. બાદ,ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ફેક્ટરી બંધ કરવા હુકમ કરાયો છે.આ દરમિયાન સુરક્ષાના કારણોસર તમામ કામદારોને ફેક્ટરીની બહાર મોકલી દેવાયા હતા. છેલ્લા દોઢ મહિનામાં ઘટેલી આ ત્રીજી આકસ્મિક દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ ચાર કામદારોના મોત નીપજ્યા હતા.
દોઢ મહિનામાં ચાર કામદારોના મોત
પોરબંદરની નિરમા કેમિકલ્સમાં એક ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી જેમાં એક કામદારનું મોત નિપજ્યું હતું.અને ચાર જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. આ પરિણામે,ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા ફેક્ટરી બંધ કરવા હુકમ કરાયો હતો. આવી દુર્ઘટના છેલ્લા દોઢ મહિનામાં ઘટેલી આ ત્રીજી દુર્ઘટના છે.અત્યાર સુધીમાં 4 કામદારોના મોત નિપજ્યા છે. નિરમા કેમીક્લ ફેકટરીમાં સેફટીનો અભાવ પ્રાથમિક દૃષ્ટિએ જોવા મળતા સેફટી ઇન્સ્પેકટરે આ નિર્ણય લીધો હતો