ખેડૂતોને સિંચાઇના પાણીની રાહ છે તો બીજી તરફ અનેક શહેરોમાં પીવાના પાણી પર પણ સંકટ તોળાઈ રહ્યું છે.
રાજ્યમાં અનેક ડેમ તળિયાઝાટક, તોળાતું જળસંકટ
રાજકોટમાં 5 દિવસ બાદ સર્જાઇ શકે છે જળસંકટ
રાજ્યના 80 ડેમોમાં 20%થી પણ ઓછું પાણી
રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાયા છે, તો આ તરફ ગુજરાતમાં પણ પાણીનું સંકટ સર્જાઈ શકે તેવી તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્યમાં જોઈએ એવો વરસાદ ન થતા મોટા ભાગના ડેમમાં પાણી આવક થઈ નથી જેથી મોટા ભાગના ડેમ ખાલી થવાની કગાર પર આવી ગયા છે જેથી પાણીની સમસ્યા ઊભી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના અનેક શહેરો પર જળ સંકટ તોળાઈ રહ્યું છે.
આજી ડેમમાં 5 દિવસ ચાલે તેટલું જ પાણી..!
વરસાદ ખેંચાતા રાજકોટમાં જળસંકટની સ્થિતિ સર્જાઇ શકે છે...રાજકોટમાં પાંચ દિવસ બાદ પાણી માટે વિકરાળ સ્થિતિ આવી શકે છે...રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં પાંચ દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે...તો ન્યારી-1 ડેમમાં ઓક્ટોબર સુધી ચાલે એટલું જ પાણી છે...જ્યારે ભાદર-1 ડેમમાં નવેમ્બર સુધી ચાલે એટલું પાણી બચ્યું છે... ગુજરાત અનેક શહેરો વરસાદ આધારિત પીવાનું પાણી એટલે ડેમમાંથી આવતા પાણી પર નિર્ભર છે...એક તરફ સિંચાઇના પાણી વગર ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે ત્યારે પાણી વગર અનેક શહેરો તરસ્યા રહે તેવી ભીતિ છે. હાલ તો નર્મદાના પાણી પર રાજકોટ સહિત અનેક જિલ્લા નિર્ભરતા રાખી રહ્યા છે પણ ચોમાસા જ આવી સ્થિતિ સર્જાઇ છે તો આગળના મહિનાઓમાં કઈ રીતની વિકટ સ્થિતિ પેદા થશે તે કલ્પનાના જ કરવી મુશ્કેલ છે.
રાજ્યના 80 ડેમોમાં 20%થી પણ ઓછું પાણી
રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્યના ડેમોમાં થોડુ જ પાણી બચ્યુ છે, જે ડેમોપાણીની સમસ્યા સર્જાઈ છે તે ડેમની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 80 ડેમો એવા છે જેમાં 20 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે આગામી સમયમાં જો વારસાદ નહીં પડે તો ગુજરાતમાં મોટું જળ સંકટ સર્જાઈ શકે છે. રાજ્યના 4 ડેમની હાલત તો તળિયાઝાટક જેવી જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમ એવા છે જેમાં સરેરાશ 24 ટકા પાણી બચ્યું છે. આ તરફ કચ્છના 20 ડેમમાં 22.88 પાણી બચ્યું છે. રાજ્યમાં આ વખતે જોઈએ એવો વરસાદ પડ્યો નથી જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને પાકને લેઈને ચિંતા સતાવી રહી છે ખેડૂતો પાકમાં પાણીની સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર રહેતા હોય છે પરતું જુલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાઈ ગયો છે જો કે કેટલીક જગ્યાએ હળવા વરસાદ ઝાપટા પડે છે પરતું ગુજરાતમાં હજુ પણ પૂરતા વરસાદ ન પડતા વરસાદની 44 ટકા ઘટ જોવા મળી રહી છે.
ખેડૂતોના પાક સિંચાઇ વગર મુરઝાઈ રહ્યા છે.
એક અહેવાલમાં રાજ્યના 16 ડેમોમાં માત્ર 1 ટકાથી પણ ઓછુ પાણી હોવાનું તારણ સામે આવ્યું છે આ વખતે ચોમાસાની સિઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી, રાજકોટના ભાદર ડેમમાં હવે માત્ર 5 દિવસ ચાલે એટલું જ પાણી છે. જ્યારે રાજ્ય અન્ય મધ્યમ 49 ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યુ છે.મહત્વનું છે કે ખેડૂતો સિંચાઈ માટે કેનાલમાંથી પાણી આપવામાં આવતું હોય છે આમ ડેમમાંથી કેનલામાં પાણી છોડવામાં આવતા પાણી જેટલી જાવક થાય છે એટલા પ્રમાણમાં આવક જોવા મળતી નથી. ગુજરાતમાં માત્ર પાંચ ડેમ એવા બચ્યા છે જેમાં 100 ટકા પાણી બચ્યું છે. એક તરફ સિંચાઇનું પાણી તેમજ બીજી તરફ પીવાનું પાણીની તંગી...જો વરસાદ નહીં પડે તો આગામી સમય કપરોકાળ બની રહેશે એ નક્કી છે.
હાલ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે નહીં: નીતિન પટેલ
બે દિવસ પહેલા નીતિન પટેલ દ્વારા સિચાઈના પાણી મુદ્દે મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતુ કે આ વખતે ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, જેના કારણે ખેડૂતો માટે સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. જેથી આ વખતે ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે નહીં, ડેમમાં પાણીમો જથ્થો પીવા માટે રિઝર્વ રાખવો જરૂરી છે આ વર્ષે ખેડૂતોને પાક માટે વરસાદ પર જ આધાર રાખવો પડશે. નીતિન પટેલના આ નિવેદન પર ખેડૂતોએ નારાજગી દર્શાવી છે. તો બીજી તરફ તેમની ચિંતામાં વધારો થયો છે.