ગુજરાતમાં રૂપાણી સરકારના 5 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાશે, તો વિરોધી પક્ષ કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અને AAP દ્વારા અજ્ઞાન દિવસની ઉજવણી
સરકાર 1 ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરશે
કોંગ્રેસ 1 ઓગસ્ટે શિક્ષણ બચાવો અભિયાન ચલાવશે
AAP 1 ઓગસ્ટે અજ્ઞાન દિવસ તરીકે ઉજવશે
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. 7 ઓગસ્ટ 2016ના રોજ વિજય રૂપાણીએ CM તરીકે શપથ લીધા હતા. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરશે. 1થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો કરાશે. જેમાં આવતીકાલે સરકાર જ્ઞાન શક્તિ દિવસ તરીકે ઉજવણી કરાશે. શિક્ષણને લગતા વિકાસ કાર્યોના કરાશે. રૂ.323 કરોડના ખર્ચે ઓરડાના બાંધકામ ખાતમુહૂર્ત કરાશે. સાથે નમો ઇ-ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. CM રૂપાણી ગાંધીનગર ખાતેથી કાર્યક્રમમાં હાજરી આપશે.
આવતીકાલેથી કોંગ્રેસ સરકાર વિરોધી કાર્યક્રમ કરશે
કોંગ્રેસ 1થી 9 ઓગસ્ટ સુધી કરશે કાર્યક્રમ
રાજ્યભરમાં કોંગ્રેસ આવતીકાલે કરશે પ્રદર્શન
આવતીકાલે શિક્ષણ બચાવો અભિયાન ચલાવશે
પ્રદેશ નેતાઓ અલગ-અલગ જિલ્લાઓમાં રહેશે ઉપસ્થિત
અમદાવાદમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કાર્યક્રમ
પ્રદેશ કોંગ્રેસ પ્રભારી જીતેન્દ્ર બઘેલ ગાંધીનગર કાર્યક્રમમાં રહેશે
વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજકોટ કાર્યક્રમમાં રહેશે
પોરબંદર ખાતે અર્જૂન મોઢવાડિયાના આગેવાનીમાં કાર્યક્રમ
ભરતસિંહ સોલંકી આણંદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
આમ આદમી પાર્ટી પણ 1થી 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ કાર્યક્રમ
તો આ તરફ આમ આદમી પાર્ટી પણ મેદાને છે. આમ આદમી પાર્ટી પણ 1થી 9 તારીખ સુધી સરકારી કાર્યક્રમોનો વિરોધ કરશે. એક તરફ સરકાર પોતાના કાર્યો અંગે લોકો વચ્ચે રજૂઆત કરશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પણ 1થી 9 ઓગસ્ટ દરમિયાન લોકો વચ્ચે પોતાની વાત લઈને સરકારનો વિરોધ કરશે. સમગ્ર મામલો ગુજરાતના વિકાસલક્ષી કાર્યક્રમો સાથે જોડાયેલો છે. સરકારના છેલ્લા 5 વર્ષમાં કેવા કાર્યો રહેલા છે. તે સરકાર પોતે ગણાવશે. અને વિરોધ પક્ષ સરકારે શું નથી કર્યું તેનું ગણિત લઈને આવશે. ત્યારે આ પ્રકારે સરકારની સાથે સાથે વિરોધની વચ્ચે ગુજરાતની જનતા પોતાની સમજણથી બધુ જોઈ રહી છે.