16મી લોકસભાના અંતિમ સત્ર દરમિયાન સંસદને સંબોધિત કરતાં મુલાયમ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને એવી ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે..
'મને આશા છે કે નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને' - મુલાયમ સિંહે યાદવ
રક્ષા મંત્રી રહીને મુલાયમ સિંહ યાદવે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો
દેશની રાજનીતિમાં એક યુગનો અસ્ત થયો છે. કદ્દાવર નેતા અને નેતાજીના હુલામણા નામથી જાણીતા બનેલા યુપીના પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવનું અવસાન થતા શોકની લહેર દોડી ગઈ છે. મુલાયમ સિંહે યાદવે ગુરુગ્રામની જાણીતી મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મુલાયમ સિંહ યાદવનું નિધન થયું એવા સમયે PM મોદીએ ભરૂચમાં મુલાયમસિંહ યાદવને યાદ કરતા કહ્યું કે, 'અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'
ભરૂચમાં વડાપ્રધાન | અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો, મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે: PM#bharuch@PMOIndia@narendramodipic.twitter.com/Yucvm7qN4w
'મને આશા છે કે નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બને'
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું આજે સવારે 82 વર્ષની વયે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવ હંમેશા તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. એકવાર તો સંસદમાં એમના નિવેદનને કારણે તેમના પુત્ર અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દંગ રહી ગયા હતા. 16મી લોકસભાના અંતિમ સત્ર દરમિયાન સંસદને સંબોધિત કરતાં મુલાયમ સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બને એવી ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું પ્રધાનમંત્રીને અભિનંદન આપવા માંગુ છું કે એમને બધાને સાથે લઈને આગળ વધવાનો પ્રયાસ કર્યો અને મને આશા છે કે દરેક સદસ્ય ફરીથી ચૂંટણી જીતીને સદનમાં પાછા ફરશે અને નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બનશે. "
જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવે આ નિવેદન એવા સમયે આપ્યું હતું જ્યારે વર્ષ 2013માં 2019માં આવનારી લોકસભા ચૂંટણી માટે દરેક વિપક્ષી નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે દિલ્હીમાં એક મહાગઠબંધન બનાવવાની કોશિશ કરવા માટે એકઠા થયા હતા અને એ જ સમયે મુલાયમ સિંહ યાદવે પ્રધાનમંત્રી મોદીના વખાણ કરીને ફરી તેઓ જ વડાપ્રધાન બને એવી ઈચ્છા વ્યક્ત કરીને રાજકીય તોફાન સર્જી દીધું હતું. સાથે જ આ સંબોધનથી અખિલેશ યાદવ સહિત સપાના કાર્યકરોને પણ ચોંકાવી દીધા હતા.
કોણ હતા મુલાયમ સિંહ યાદવ
મુલાયમ સિંહ યાદવના વિશે વાત કરી તો એ રાજકારણમાં આવ્યા પહેલા શિક્ષક હતા અને એ સમયે જુવાનીના દિવસોમાં એ કુસ્તીના ભારે શોખીન હતા. એ પછી એક સમયે સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાના વિચારોથી પ્રભાવિત થઈને એમને રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો અને 1967માં સોશ્યલિસ્ટ પાર્ટીની ટિકિટ પર પહેલી ચૂંટણી જીતીને સૌથી સૌથી યુવા ઉંમરમાં ધારાસભ્ય બનીને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. મુલાયમ સિંહ યાદવ 10 વખત ધારાસભ્ય અને 7 વખત સાંસદ રહી ચુક્યા છે અને આ સાથે જ તેઓ દેશના રક્ષા મંત્રી પણ રહી ચૂક્યા છે.
મુલાયમ સિંહ યાદવ 1 જૂન 1996 થી 19 માર્ચ 1998 સુધી રક્ષા મંત્રી હતા અને એ સમયે દેશમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ હતું. આ સમયે રક્ષા મંત્રી રહીને મુલાયમ સિંહ યાદવે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો જેને લોકો આજ પણ યાદ કરીને એમની સહરાના કરે છે.
શું હતો એ નિર્ણય?
આઝાદીના ઘણા વર્ષો સુધી જો સરહદ પર કોઈ સૈનિક શહીદ થાય તો તેનો મૃતદેહને ઘરે પહોંચાડવામાં આવતો ન હતો બસ એ શહીદ જવાનોની ટોપીઓ તેમના ઘરે પહોંચાડવામાં આવતી હતી. એ સમયે મુલાયમ સિંહ યાદવ રક્ષા મંત્રી બન્યા ત્યારે એમને એક કાયદો બનાવ્યો હતો. જણાવી દઈએ કે આજે જો કોઈ શહીદ સૈનિકનો મૃતદેહ સન્માન સાથે તેમના ઘરે પહોંચી રહ્યો છે તો તેનો શ્રેય મુલાયમ સિંહ યાદવને જાય છે.
મુલાયમ સિંહ યાદવ રક્ષા મંત્રી બનીને કાયદો બનાવ્યો હતો કે, 'હવેથી કોઈપણ સૈનિક શહીદ થશે તો તેના પાર્થિવ શરીરને સન્માન સાથે ઘરે પંહોચાડવામાં આવશે. શહીદ જવાનના મૃતદેહને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમના ઘરે લાવવામાં આવશે.
આ સાથે જ મુલાયમ સિંહ યાદવ રક્ષા મંત્રી બન્યા એ સાથે તરત જ ભારતે સુખોઈ-30 ફાઈટર એરક્રાફ્ટનો સોદો કર્યો હતો.