17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે ત્યારે ગુજરાતમાં વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજવામાં આવનાર છે જેમાં 7,500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
PMના જન્મદિવસે વેક્સિનેશન મેગા ડ્રાઈવ
17 સપ્ટેમ્બરે 35 લાખ લોકોના વેક્સિનનું લક્ષ્ય
7,500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય
17 સપટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને ખાસ બનાવવા માટે ગુજરાત ભાજપ દ્વારા અનોખી તૈયારીઓ કરવામાં આવી છે જેમાં PM મોદીના જન્મ દિવસે વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજવામાં આવનાર છે.
7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક
મહત્વનું છે કે ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે જોકે હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે મેગા ડ્રાઈવમાં 35 લાખ લોકોને વેક્સિનેશનમાં આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધીમાં 5.33 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. ત્યારે આવતી કાલે વડાપ્રધાન મોદીના જન્મ દિન નિમિતે 7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
17 સપ્ટેમ્બરે PMનો 71મો જન્મદિવસ
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા ગામ વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીએ 1972માં RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.
PM મોદી 2001માં પહેલીવાર ગુજરાતના CM બન્યા
1998માં તેઓ રાષ્ટ્રીય મહાસચીવ પણ બન્યા. નરેન્દ્ર મોદી 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2001માં તે પહેલીવાર ગુજરાતના CM બન્યા અને 2013માં ભાજપે તેમનું નામ પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર તરીકે જાહેર કર્યું. જેની ચૂંટણીમાં ભાજપે 282 સીટો પર વિજય હાંસીલ કર્યો અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ભાજપે 300 સીટોથી વિજય મેળવ્યો.