રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5,246 નવા કેસ નોંધાયા છે, તો 71 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં રસીકરણ આજે બંધ રખાયું હતું
ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
24 કલાકમાં કોરોનાના 5,246 નવા કેસ સાથે 71 દર્દીના થયાં મોત
તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5,246નવા કેસ નોંધાયા છે, તો 71 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ ગઈકાલ કરતા મોતના આંકડામાં વધારો નોંધાયો હતો. ગઈકાલે 67 લોકોના જીવ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 71 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9340 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 9001 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 6,69,490 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 742 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 92,617 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,47,51,911 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,47,83,212 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. મહત્વનું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં રસીકરણ આજે બંધ રખાયું છે. જેને લઈ કોઈ નવા આંકડાઓ સામે આવ્યા નથી. આવતીકાલથી ફરી રાજ્યમાં રસીકરણ શરૂ થઈ જશે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 1296 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 28 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 319 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 71 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 436 કેસ, જ્યારે ગ્રામ્યમાં 205 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 168 કેસ અને ગ્રામ્યમાં 139 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.....