નીતિ આયોગ દ્વારા દેશમાં ગીરીબીને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જેમા ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.જ્યારે સૌથી વધારે બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.
રાજ્યમાં 18 ટકા લોકો હજું પણ ગીરીબી રેખા નીચે
1.12 લોકો ગુજરાતમાં હજુ પણ ગીરીબ
2.11 કરોડ લોકો પાસે રસોઈ માટે ઈંધણ કે લાકડા નથી
નીતિ આયોગ દ્વારા રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકઆંક જાહેર કરવામાં આવ્યો છે. જેમા ગુજરાતનો રિપોર્ટ ખરેખરમાં ચોંકાવનારો છે. નીતિ આયોગના મતે ગુજરાતમાં 18% લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 1.12 કોરોડ લોકો ગીરીબીમાં પોતાનું જીવન કાઢી રહ્યા છે.
અમદાવાદમાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું
સર્વે પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને જમ્મુ કાશ્મીર કરતા પણ વધારે ગીરીબીનું પ્રમાણ છે. જેમા ડાંગ, દાહોદ, પંચમહાલ અને નર્મદા જિલ્લામાં સૌથી વધુ ગીરીબી છે. જોકે આપને જણાવી દઈએ કે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ગરીબીનું પ્રમાણ સૌથી ઓછું છે.
32.60 લાખ લોકો પીવાના પાણી માટે રઝળે છે
ગુજરાતમાં 2.11 કરોડો લોકોને ત્યા તો રસોઈ માટે ઈંધણ કે લાકડા પણ નથી સાથેજ સાંભળીને આપને નવાઈ લાગશે કે ગુજરાતના 1.56 કરોજ લોકો પાસે શૌચાલય પણ નથી. ઉપરાંત 32.60 લાખ લોકોને પીવાના પાણી માટે પણ રઝળવું પડે છે. 2.49 કરોડ પરિવાર એવા છે જેમને પોષણક્ષમ ખોરાક નથી મળતો.
31.39 લોકો શાળાએ પણ નથી ગયા
છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો 2.21 ટકા લોકો એવા હતા જેમના મૃત્યુ 18 વર્ષથી ઓછી ઉંમરે થયા હતા. ઉપરાંત 31.39 લાખ લોકો એવા છે એક વાર પણ શાળાએ પણ નથી ગયા.
બિહાર સૌથી ગરીબ રાજ્ય
ઉલ્લેખનીય છે કે નીતિ આોગના રિપોર્ટ અનુસાર ભારતનું સૌથી ગરીબ રાજ્ય બિહાર છે. જ્યારે તેના પછી ઝારખંડ આવે છે. બિહારમાં કુલ 51.29 ટકા લોકો ગરીબ છે કે એટલે કે બિહારની અડધા કરતા પણ વધારે વસ્તી ગીરીબી રેખા નીચે જીવી રહી છે. જ્યારે ઝારખંડમાં 41.26 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે ખરેખરમાં મૌોટો આંકડો છે.