ભાજપે કોર કમિટીની કરી રચના. આ કોર કમિટીના સભ્ય પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકશે. અત્યાર સુધી હતું કે, કોઈપણ નિર્ણય માટે કારોબારી બોલાવવી પડતી. હવે જે 12 સભ્યોની કમિટી નિર્ણય લેશે
ગુજરાત ભાજપે 'કોર કમિટીનું' કર્યું ગઠન
કમિટીના 12 સદસ્યો લેશે પાર્ટી લક્ષી નિર્ણય
કારોબારીમાં 40 હતા,હવે 12 સદસ્યો નિર્ણય લેશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને વારંવાર કહેવામાં આવે છે તેમ 'બાર ગાઉનું છેટું' હોવા છતાં ભાજપ જે રીતે રાજ્યમાં તૈયારીઓ કરી રહ્યો છે તે જોતા ગુજરાત વિધાનસભા -2022ની ચૂંટણી એપ્રિલ-મે મા યોજાઈ તો નવાઈ નહિ રહે. એક તો સ્થાનિક કક્ષાએ તૈયારીઓ અને બીજું,યુપી સહીત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં વડાપ્રધાન મોદીનો પ્રાસ્તાવિત વીજળીક પ્રચાર-પ્રસાર પણ એ વાતની સાહેદ છે કે, ભાજપ 'અંદરખાને ' ચૂંટણીની તૈયારીમાં છે. કહેવાય છે કે, આવી જ એક તૈયારીના ભાગરૂપ ભાજપે કોર કમિટીની રચના કરી છે. આ કોર કમિટીના સભ્ય પાર્ટીલક્ષી નિર્ણય લઈ શકશે. અત્યાર સુધી એવું હતું કે, કોઈપણ નિર્ણય લેવા માટે કારોબારી બોલાવવી પડતી હતી. હવે જે 12 સભ્યોની કોર કમિટી ભાજપે બનાવી છે તેઓ જ પાર્ટીલક્ષી નિર્ણયો લેશે.
પહેલા 40 સદસ્યોની કારોબારી મળતી
અગાઉ ભાજપની કારોબારીમાં 40 સભ્યો હતા . હવે આ 40 નાં બદલે 12 સભ્યો પક્ષને અનુલક્ષીને નિર્ણય કરી શકશે.ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાં મુખ્યમંત્રી, મહામંત્રી, અને સભ્યનો સમાવેશ કરાયો છે. કોર ગ્રુપમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, રત્નાકર, જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા ઉપરાંત શંકર ચૌધરી, ગણપત વસાવા, હર્ષ સંઘવી, રંજનબહેન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી
@CRPaatil દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ના સભ્યશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા આજરોજ પ્રદેશ ચૂંટણી સમિતિ (પાર્લામેન્ટરી બોર્ડ)ના સભ્યશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી. pic.twitter.com/q50lh3JqtP