ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓની નિમણૂંક મામલે જુથવાદ સામે આવી રહ્યો છે
ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ યથાવત
આશ્રમ રોડ પર કોંગ્રેસના એક જૂથની બેઠક
અમદાવાદમાં નરેશ રાવલના નિવાસસ્થાને બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને મોટા મોટા સમાચાર સામે આવ્યા છે હજુ ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિમણૂંક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ હોય તેવું સામે આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ યથાવત
હાલ ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓની નિમણૂંક મામલે જુથવાદ સામે આવી રહ્યો છે, અમદાવાત આશ્રમ રોડ પર કોંગ્રેસના એક જૂથની બેઠક યોજાઈ તો બીજી તરફ કોંગ્રેસ નેતા નરેશ રાવલના નિવાસસ્થાને પણ બેઠક મળી છે.
આશ્રમ રોડ પર કોંગ્રેસના એક જૂથની બેઠક
અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના ટીમ-Bના નેતાઓની બેઠક હાજરી આપી રહ્યા છે જેમાં હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર,રાજુ પરમાર બેઠકમાં હાજર હોવાનું મનાઈ રહ્યું છે તો બીજી તરફ ગૌરવ પંડ્યા,બિમલ શાહ,નરેશ રાવલ,સાગર રાયકા પણ હાજર રહ્યા છે મહત્વનું છે કે અગાઉ પણ અગાઉ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ ધારાસભ્યો સાથે યોજી બેઠક જેમાં અનેક ધારાસભ્યો હાજ રહ્યા હતા જ્યારે કેટલાકની બાદબાકી કરાઈ હતી.
આશ્રમ રોડ પર કોંગ્રેસના એક જૂથની બેઠક
ગુજરાતમાં કોરોના નિયંત્રિત થતાં જ રાજકીય બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની અમદાવાદ મુલાકાત બાદ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવે સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ મંથન શરુ કરી દીઘું છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને આક્રમક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવમાં આવી છે તો હવે કોંગ્રેસ પણ પોતાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહ્યુ છે પરતું હવે અલગ અલગ મળેલી બેઠકો બતાવી રહી છે કે કોંગ્રેસમાં હવે જુથવાદ હોવાનું સામે આવી રહ્યું છે.