ગુજરાતમાં અપ્રમાણસર મિલકત હેઠળ એસીબીમાં નોંધાયેલ ગુના અનુસંધાને લાંચ-રૂશ્વત ખાતા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાર અધિકારી સહિત 51 અધિકારી તેમજ કર્મચારી સામે હાલ તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં ક્લાસ 1 અધિકારીઓ સામે તપાસ
ચાર અધિકારી સહિત 51 અધિકારી-કર્મચારી સામે તપાસ
લાંચ-રૂશ્વત વિરોધી ખાતા દ્વારા હાથ ધરાઇ તપાસ
ગુજરાતમાં ક્લાસ-1 અધિકારીઓ અવાર નવાર લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે ચાર અધિકારી સહિત 51 અધિકારી તેમજ કર્મચારીઓ સામે હાલ તપાસ ચાલી રહી છે. લાંચ-રૂશ્વત વિરોધી ખાતા દ્વારા લાંચ લેતા ઝડપાયેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓ વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. તેમજ લાંચ-રૂશ્વત વિરોધી ખાતા દ્વારા અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરાઈ છે. તેમજ DA કેસ હેઠળ વર્ગ 1 ના 4, વર્ગ 2-12 અને વર્ગ-3 ના 19 અધિકારી તેમજ કર્મચારીઓ સામે હાલમાં એસીબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો દ્વારા લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અને ભ્રષ્ટાચારથી વસાવેલી મિલકતો શોધી કાઢવાના અભિયાનના ભાગરૂપે આવા અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી, વોચ રાખી, ગુપ્ત તપાસ હાથ ધરી, પ્રથમ દર્શનીય માહિતી મળતા કુલ ૩૫ અધિકારીઓ વિરુદ્ધ…
ACB દ્વારા 35 જેટલા ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની યાદી તૈયાર કરાઈઃ Dy.SP જી.વી. પઢીયાર
આ બાબતે ACB નાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓ દ્વારા કચેરીમાં કામ અર્થે આવતા અરજદારનું કામ ઝડપી થાય તે માટે તેની પાસે લાંચની માંગણી કરવામાં આવતી હોય છે. આવા ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની એક યાદી બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં કુલ 35 જેટલા ભ્રષ્ટ્રાચારી કર્મચારીઓ તેમજ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલ્કતની તપાસ હાથ ધરવાનાં આદેશો નિયામક દ્વારા આપવામાં આવેલ છે.
બહુચર્ચિત 'ડમીકાંડ ' કૌભાંડમાં સંડોવાયેલા લોકોની તપાસનાં આદેશો કરાયા
આ બાબતે વધુમાં ACB નાં Dy.SP જી.વી. પઢીયારે જણાવ્યું હતું કે બહુચર્ચિત 'ડમીકાંડ ' કૌભાંડમાં સંડોવાયેલા કુલ 16 અધિકારી તેમજ કર્મચારીઓએ ભ્રષ્ટ્રાચાર આચરીને તેઓની કાયદેસર આવક કરતા વધુ સ્થાવર તેમજ જંગમ મિલકત વસાવેલી હોવાની શક્યતા હોઈ તમામ વિરૂદ્ધ અપ્રમાણસર મિલ્કતની તપાસના આદેશો કરવામાં આવેલ છે.