આરોગ્ય વિભાગ દ્વારા માઈક્રો લેવલે રસીકરણ માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જલ્દી જ 100% વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવે તો નવાઈ નહીં
વેક્સિનેશનમાં અમદાવાદ જિલ્લો નંબર-1
અમદાવાદના ગામોમાં વેક્સિનેશન વધ્યું
134 ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું
સુરતમાં સંપૂર્ણ વેક્સિનેશન માટે કવાયત
100 ટકા વેક્સિનેશન તરફ આગળ વધી રહેલા ગુજરાતના જિલ્લાઓની... આપણે ત્યાં વેક્સિનેશન પર તો પહેલાથી જ ભાર આપવામાં આવી રહ્યો છે.. પરંતુ ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે હવે ગુજરાતના બે જિલ્લાઓ 100 ટકા વેક્સિનેશન તરફ આગળ વધ્યા છે.. ત્યારે ક્યા છે આ બંનેએ જિલ્લા અને કેટલા પ્રમાણમાં થયું છે વેક્સિનેશન તે પણ જાણવું અગત્યનું છે એમાં પણ અમિત શાહની સૂચના બાદ ગુજરાતના રસીકરણ કાર્યક્રમમાં મોટો ઉછાળો આવ્યો છે.
અમદાવાદ અને સુરત 100% વેક્સિનેશન તરફ..
વેક્સિનેશનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો નંબર એક પર છે. અમદાવાદના 134 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. અમદાવાદમાં 91.5 ટકા લોકોને પહેલો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરાઈ છે. જ્યારે 10 લાખ 81 હજાર 775 લોકોને પ્રથમ ડોઝ અપાયો છે. અને 3 લાખ 30 હજાર લોકોને બીજો ડોઝ અપાયો છે. અમદાવાદના 6 ગામોમાં હજુ વેક્સિનેશનની કામગીરી ઓછી છે. જેમાં વેક્સિનેશન વધારવા માઈક્રો લેવલે ડ્રાઇવ કરાઇ રહી છે. અમદાવાદના કાવિઠા PHC સેન્ટરમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરાઇ છે. બીજી તરફ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 87 ટકા લોકોએ વેક્સિન લીધી છે જ્યારે હજુ 4.50 લાખ લોકો કારોના રસીથી વંચિત રહ્યા છે અથવા તો કોરોના રસી લેવામાં મોડા પડ્યા છે. જો કે આ બંને જિલ્લાઓમાં 100% વેક્સિનેશન થાય તે દિશામાં હવે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે આરોગ્ય વિભાગ દ્વારા માઈક્રો લેવલે રસીકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે
અન્ય જિલ્લા તંત્રએ પણ શીખ લેવાની જરૂર
મહત્વનું છે કે હાલ ટોપ રાજ્યબહારના તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન પર કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે પરંતુ સુરત અને અમદાવાદ જિલ્લા પાસથી રાજ્યના અન્ય જિલ્લાના તંત્રએ પણ શીખ લેવાની જરૂરૂ છે કારણ કે વધુ પ્રમાણમાં વેક્સિનેશન એક માત્ર કોરોનાથી બચવાનો કારગર ઉપાય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે રાજ્યમાં સંભવિત ત્રીજી લહેર પહેલા 100% વેક્સિનેશન કરવામાં તંત્ર કેટલું ઊણું ઉતરે છે. હાલ તો વોર્ડ દીઠ ઘરે ઘરે જઈને રસી માટે અનુરોધ કરવાનો વિચાર તંત્ર કરી રહ્યું છે.
ઘરે ઘરે વેક્સિનેશનનો આદેશ આપવો સંભવ નથી: સુપ્રીમ કોર્ટ
દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેરથી બચવા માટે વેક્સિનેશન અભિયાન પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ અને વહીવટી જટિલતાને ધ્યાને રાખી ઘરે ઘરે વેક્સિનેશનનો આદેશ આપવો સંભવ નથી. સુપ્રીમ કોર્ટે ડોર ટૂ ડોર વેક્સિનેશન માટે કરાયેલી અરજી પર વિચાર કરવાનો પણ ઇનકાર કર્યો છે. આ અરજીમાં દરેક કોરોના દર્દીના મોતના કેસમાં પરિવારજનોને સહાયની માગ કરવામાં આવી હતી. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપણે એવું ન માની શકીયે કે આટલી મોટી સંખ્યામાં દુર્ભાગ્યથી જે મોત થયા છે તે કોરોનાને કારણે જ થયા હોય, આ તમામ મોત પાછળ તબીબોની બેદરકારી હોય તેવું અનુમાન લગાવવું પણ શક્ય નથી.