રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં કોરોના કેસમાં 80 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જો હજુ કોઈ તાત્કાલિક પગલાં ન લેવાય તો પરિસ્થિતિ ખરાબ થશે તેવી તેમને આશંકા વ્યક્ત કરી હતી.
કોરોના ફરી કંટ્રોલ બહાર!
રાજ્યમાં પ્રતિદીન વધી રહ્યાં છે કેસ
10 દિવસમાં પોઝિટિવ કેસમાં 80 ટકાનો ઉછાળો
રાજ્યમાં ધીમે ધીમે કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે. ત્યારે કોરોનાને લઈને ડૉ.મુકેશ મહેશ્વરીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર 15 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના પ્રતિદિન કેસ માત્ર 249 હતા. જે વધીને 26 ફેબ્રુઆરી સુધીમાં 460 થયા હતા.10 દિવસમાં રાજ્યમાં કોરોના કેસનો 80 ટકા ઉછાળો દેખાયો છે. જો હજુ કોઈ તાત્કાલિક પગલાં ન લેવાય તો પરિસ્થિતિ ખરાબ થશે તેવી તેમને આશંકા વ્યક્ત કરી હતી.
રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો
છેલ્લા 24 કલાકમાં 451 પોઝિટિવ કેસ નોંધાયા
આજે 328 દર્દીઓને આજે ડિસ્ચાર્જ કરાયા
અત્યાર સુધી 2,62,815 લોકો સાજા થયા
આજે કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ
રાજ્યમાં 2258 દર્દીઓ સારવાર હેઠળ
36 દર્દીઓ વેન્ટિલેટર પર
રાજ્યમાં કોરોનાથી કુલ 4409 લોકોના મૃત્યુ
કોરોનાના કેસ વધવાનું કારણ શું?
તબીબો દ્વારા સતત લોકોને સંદેશો અપાઈ રહ્યો છે કે, લોકોએ હજુ પણ કોરોનાને હળવામાં લેવો જોઈએ નહીં. છેલ્લા 10 દિવસમાં કોરોનાના વધતા કેસ પાછળ ચૂંટણી, મેચ અને લગ્નમાં જમાવડો જવાબદાર છે. તમામ રાજકીય પાર્ટીઓના પ્રચારમાં લોકોને વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા છે. તો લગ્નમાં પણ લોકો નિયમનું ઉલ્લંઘન કરતા હોય છે.
હોસ્પિટલમાં બેડ વધારવાની તૈયારી
સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 44થી વધુ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે. કોરોનાના કેસોમાં વધારો થતા સિવિલ હોસ્પિટલ દ્વારા 1200 બેડની હોસ્પિટલને ફરી કોવિડ કેર તરીકે શરૂ કરવા તૈયારી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ ડો.રજનીશ પટેલે લોકોને લગ્ન મેડાવળામાં કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ તેમને કહ્યું કે લોકો માસ્ક પહેરતા નથી. અને નિયમોનું પાલન ન કરતા ફરી સ્થિતિ બગડે તેમ છે.