ગુજરાતના જામનગર અને વડોદરામાં જિલ્લામાં અમદાવાદ કરતા પણ વધુ કેસ આવતા તંત્ર ફરી એક્ટિવ થયું છે
રાજ્યમાં વધ્યો કોરોનાનો કહેર
આજે રાજ્યમાં નોંધાયા 71 કોરોના કેસ
સૌથી વધુ કેસ જામનગર અને વડોદરામાં
ગુજરાતમાં એક તરફ ઓમિક્રોન વાયરસે દેખા દિધા છે તો બીજી તરફ ગુજરાતમાં વધતાં કોરોના કેસનો આંકડો ચિંતા જનક છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા તો કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 524 સુધી પહોંચી ગઈ છે. 27 દર્દી કોરોનાને માત આપી હેમખેમ ઘરે પહોંચ્યા છે. જ્યારે કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.
સારી વાત એ છે કે રાજ્યમાં આજે કોરોનાને કારણે કોઈપણ મૃત્યુ થયું નથી પણ છેલ્લા 2 મહીનામાં આજે સૌથી વધુ કેસ 71 કેસ નોંધાયા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ
કોરોનાનો ફુફાડો વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના 11 કેસ, વડોદરામાં 14 કેસ, જામનગરમાં 15 કેસ, સુરતમાં 11 કેસ, કચ્છમાં 4 કેસ,નવસારીમાં 4 કેસ, મહેસાણાં 3 કેસ, રાજકોટમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકામાં 2 કેસ, વલસાડમાં 2 કેસ, આણંદ અને ગાંધીનગરમાં એક-એક કેસ દાખલ થયો છે.
અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.52 કરોડથી વધુ ડોઝ અપાયાજો આજના વેકસીનેશનની વાત કરવામાં આવે તો 4.15 લાખ નાગરિકોનું રસીકરણ થયુ છે. તો અત્યાર સુધી 10098 મૃત્યુથઈ લોકોને કોરોનાના કારણે જીવ ગુમાવવા વારો આવ્યો છે. કુલ 8,17,455 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.72 ટકાએ પહોંચ્યો છે.