કુલ 48 વિદ્યાર્થીઓ શાળા શરૂ થતાં સંક્રમિત થયા , ફરી ઓનલાઈન શાળાઓ શરૂ કરવા વાલીઓની માગ
વિદ્યાર્થીઓ થઈ રહ્યાં છે કોરોના સંક્રમિત
કુલ 48 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત
સુરતમાં સૌથી વધુ 15 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત
ઓમિક્રોન વેરિયન્ટના ભારતમાં એક પછી એક કેસો સતત વધી રહ્યા છે.અને આ તમામ લોકોની હિસ્ટ્રી વિદેશથી પરત ફર્યાની છે.પરંતુ હવે ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલું કોરોનાનું સંક્રમણ ચિંતાનો વિષય બન્યું છે.કારણ કે, એક પછી એક વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે.તેવામાં આજે રાજકોટમાં ફરી 3 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.જેણે વાલીઓની ચિંતા વધારી છે.
કોરોનાની ત્રીજી લહેર આવશે તેવા અનુમાનો તો ખુબ લગાવાઈ રહ્યા હતા..પરંતુ હવે ઓમિક્રોનના વધતા સંક્રમણને જોતા એવું લાગી રહ્યું છે કે, ત્રીજી લહેર આવી શકે છે.. કારણ કે, એક તરફ ઓમિક્રોનના કેસો તો વધી રહ્યા જ છે.. પરંતુ હવે તેની સાથે-સાથે કોરોનાના અન્ય કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.,. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.. રાજકોટમાં એક જ દિવસમાં 3 વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે..જે વિદ્યાર્થીઓ આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.. ખાસ વાત તો એ છે કે, આર.કે.યુનિવર્સિટીમાં ઓમીક્રોન વેરિયન્ટનો પણ કેસ નોંધાઈ ચૂક્યો છે.. તેવામાં સ્થાનિક લેવલે તંત્ર દોડતું થયું છે..જોકે બીજી તરફ નિષ્ણાતો પણ માની રહ્યા છેકે, શાળા અને કોલેજો ઓફલાઈન શરૂ થયા બાદ કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતાઓ છે.
રાજ્યના ક્યા જિલ્લાના કેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે તેના પર નજર કરીએ તો સૌથી વધું સુરતમાં 15 અને અમદાવાદમાં 10 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે. આ સિવાય રાજકોટમાં 12, વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, નવસારીમાં 1, દ્વારકામાં 1, જામનગરમાં 1 અને કચ્છમાં 1 વિદ્યાર્થી કોનોના સંક્રમિત થયો છે.એક તરફ આટલા પ્રમાણમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.. જ્યારે બીજી તરફ શાળાઓ ધમધમી રહી છે. તેવામાં ચિંતા એ વાતની છે કે, હજુ 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓને વેક્સિન નથી અપાઈ..તેવામાં જો એક વિદ્યાર્થી સંક્રમિત થયો તો તેના સંપર્કમાં આવેલ અને આસપાસના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ શકે છે.. અને જો આ રીતે સંક્રમણ ફેલાયું તો ગુજરાતમાં ત્રીજી લહેરને આવતા કોઈ નહીં અટકાવી શકે.
શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ
મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.. જ્યારે શિક્ષણ મંત્રીએ હાલ શાળાઓ નહીં બંધ કરવાનું સૂચન આપ્યું છે.. અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે કહેવાયું છે.. ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે?...ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ?... શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર? હાલ વાલીઓ ઈચ્છી રહ્યા છે કે, વિદ્યાર્થીઓમાં વેક્સિનેશન ન થાય ત્યાં સુધી શાળાઓ બંધ રાખવામાં આવે.. ત્યારે આશા રાખીએ કે, બાળકોમાં વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સરકાર આ મુદ્દે કોઈ ચોક્કસ નિર્ણય લે.. જેથી વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય..