UPના ગોરખપુરમાં યજ્ઞનું આયોજન કરાયુ હતું આ દરમિયાન હાથીએ ત્રણ લોકોને કચડી નાખતા ત્રણેયના મૃત્યુ નિપજયા હતા.
UPના ગોરખપુરમાં યજ્ઞમાં હાથીઓ ભડકયા
ત્રણ લોકોને કચડી નાખતા ત્રણેયના મોત
મુખ્યમંત્રીએ કરી સહાયની જાહેરાત
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં યજ્ઞમાં હાથીઓએ આતંક માચાવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. યજ્ઞને પગલે જેમાં બે હાથી મંગાવાયા હતા. તેમાંથી એક હાથી યજ્ઞ દરમિયાન ડરી જતાં યજ્ઞમાં તાંડવ મચાવ્યો હતો. અને જે તાંડવનો ભોગ ત્રણ લોકો બન્યા હતા અને તે તમામના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં યજ્ઞમાં બે હાથીને લાવવામાં આવ્યા હતા. આ યજ્ઞ અને કળશ યાત્રામાં એક હાથી ડરી ગયો હતો અને જે ભૂરાયો થતા યજ્ઞ અને કળસ યાત્રામાં મચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ ઘટનામાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કચડાઈ જતાં મોત નિપજ્યા હતા. જ્યારે કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોચી હતી.
#UPCM@myogiadityanath ने जनपद गोरखपुर में हाथी के हमले से हुई जनहानि पर गहरा दुःख प्रकट किया है।
मुख्यमंत्री जी ने स्थानीय प्रशासन को मृतकों के परिजनों को ₹05-05 लाख की राहत राशि प्रदान किए जाने के निर्देश दिए हैं। उन्होंने शोक संतप्त परिजनों के प्रति संवेदना व्यक्त की है।
આ દુઃખદ ઘટનાને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગોરખપુરમાં હાથીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરીવારજનોને રૂપિયા પાંચ લાખ સહાય પેટે આપવાની સૂચના આપવામાં આવી છે. આ સમાચારની માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી હતી. આ ઘટનાની વાત કરતા ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, ગોરખપુરમાં યોજાયેલા યજ્ઞ અને કળસ યાત્રામાં અંદાજીત પાંચથી છ હજાર લોકો હાજર રહ્યા હતા. આ યજ્ઞનું આયોજન નદી કિનારા પાસે કરવામાં આવ્યું હતુ. ગામની મહિલાઓ દ્વારા હાથીને પ્રાસદ પણ ખવડાવવામાં આવ્યો હતો. આ દરમિયાન બે હાથીમાંથી એક હાથી ડરી ગયો હતો અને તાંડવ મચાવ્યો હતો.
સ્થળ પર અફરાતફરી મચી
ઘટનામાં મૃત્યુ પામનારાની વાત કરીએ તો કૌશાલ્યા દેવી, ક્રિષ્ના, કાંતિ દેવી નામના ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયાની માહિતી સામે આવી હતી. મહત્વનું છે કે હાથીના તાંડવના કારણે સ્થળ પર અફરાતફરી મચી જવા પામી હતી. અને હાથી ખેતર તરફ નાશી જતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.