ઘાટલોડીયામાં અંધશ્રદ્ધાનો અજીબ કિસ્સો સામે આવ્યો છે, તાંત્રિક વિધિના નામે ધુતારાઓએ વેપારી યુવક પાસેથી 43 લાખ રૂપિયા પડાવી લીધા છે
ઘાટલોડીયામાં અંધશ્રદ્ધાનો લાલબત્તી સમાન કિસ્સો
યુવક ગર્લફ્રેન્ડ સાથે મનદૂ:ખ થતાં તાંત્રિક પાસે ગયો
તાંત્રિકે વેપારી યુવક પાસેથી 43 લાખની પડાવી લીધા
કહેવાય છે કે ભણેલા ગણેલા લોકો શહેરમાં વસે છે પણ અમદાવાદના ઘાટલોડીયામા બનેલો આ કિસ્સો અજીબો ગરીબ છે. અજીબ એટલા માટે છે કે અહી પણ અંતરિયાળ ગામડાની જેમ જ અંધશ્રદ્ધાદૂષણ છે. ઘાટલોડિયાનો યુવક ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખ હોવાથી ઢોંગી ધુતાર કહેવાતા એવા તાંત્રિક પાસે ગયો, અને તાંત્રિક વિધિના નામે ધુતારાઓએ યુવક પાસેથી દૂ:ખ દૂર કરવાના બહાને અને ગર્લફ્રેન્ડ તારી જ થઈ જશે એવું કહી અત્યાર સુધી 43 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. યુવકને પરિવારના સંબંધી મારફતે ઘાટલોડિયામાં રહેતા અને તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી, તેમની પત્ની અને તેમના ગુરુજીનો સંપર્ક થયો હતો
ગલફ્રેન્ડ સાથે મેળ ન બેસતા યુવક તાંત્રિક પાસે ગયો
ગુજરાતમાં ઢોંગી ઢબૂડી માતાથી લઈને એવા કેટલાય તાત્રિકો છે જે દોરા ધાગાના નામે લોકોના દુખ દૂર કરવા બેઠા છે, લોકો પોતાને પડી રહેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા આખરે આ ઢોંગીઓ સહારો લેવા એ આશા જાય છે કઈક સારું કરી દેશે. પણ મહિલા હોય તો છેડતીનો શિકાર બની જાય છે અને યુવક હોય તો છેતરપિંડીનો , અંધશ્રદ્ધામાં છેતરામણ થાય છે તે પાક્કું છે પણ તોય લોકો કેમ પાંખડીઓના ખિસ્સા ભરવા જાય છે તે ગજબ છે. ઘાટલોડીયામાં અંધશ્રદ્ધાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગર્લફ્રેન્ડ સામે યુવકને મન મેળ ન થતાં રોજે રોજ ઝઘડા થતાં યુવક કાંટાળી ગયો હતો, પોતે પસંદ કરેલી યુવતી તેની જ બની રહે તે ભાવ રાખી તે ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખને દૂર કરવા તાંત્રિક પાસે ગયો હતો. જ્યાં તેના ભોળપણનો ફાયદો ઉઠાવી 3 તાંત્રિકોએ તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. તાંત્રિક વિધિના નામે થયેલી આ છેતરપીડીની પરિવારને જાણ થતાં 3 પાંખડીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઘાટલોડિયા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દેવાદાર બની 43 લાખ રૂપિયા તાંત્રિકને આપ્યા
સમગ્ર ઘટના બાદ મળતી પ્રાથમિક માહિતી અનુસાર પાંખડી તાંત્રિકના કહેવા મુજબ 43 લાખ રૂપિયા દેવું કરીને આપ્યા છે. કેટલાક લોકો પાસેથી રૂપિયા ઉછીના પાસીના કરી લઈને અનિલે જોશી નામના તાંત્રિકને આપ્યા હતાં બાદમાં જ્યારે દૂ:ખનું નિરાકરણ ન આવ્યું અને ઘરે ઉઘરાણી વાળા આવવા લાગ્યા ત્યારે યુવકને ખબર પડી કે તેના સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ છે. હાલ યુવકે અનિલ જોશી, તેમની પત્ની અને અનિલના ગુરુજી સામે ફરિયાદ કરી છે. આ કિસ્સો અંધશ્રદ્ધામાં માનનારા લોકો માટે લાલબત્તી સમાન છે