ગાંધીનગરમાં ત્રણ મનપા સફાઈ કામદારોએ પડતર માંગણીને લઈને દવા ગટગટાવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ગાંધીનગરમાં સફાઈકર્મીઓએ દવા ગટગટાવી
પડતર માગોને લઈ કરી હતી રજૂઆત
બેઠક દરમિયાન ગટગટાવી દવા
ગાંધીનગરમાં ત્રણ સફાઇ કામદારોએ દવા ગટગટાવી
ગાંધીનગર ખાતે છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓને લઈને સફાઈ કામદારો પોતાની રજૂઆત સત્તાધીશોને કરી રહ્યાં છે. પરંતુ તેનો કોઈ સુખદ નીવેડો નથી આવ્યો છે.બીજી બાજુ આજે ગાંધીનગર મનપા કચેરી ખાતે કેટલા સફાઈ કામદારો પોતાની પડતર માંગણી લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. ત્યારબાદ સફાઈ કામદારો અને આગેવાનો અને ડે.કમિશનર વચ્ચે બેઠક યોજાઈ હતી. તે દરમિયાન કોન્ટ્રાક્ટ પર કામ કરતાં ત્રણ સફાઈ કામદારોએ ઝેરી દવા પી લીધી. ભારે ચકચાર મચી જવા પામી હતી. ત્રણેય સફાઈ કામદારે ઝેરી દવા ગટ ગટાવતા તેઓની તબીયત લથી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
સફાઈ કામદારોના અને ડે. કમિશનર વચ્ચે મળેલી બેઠક દરમિયાન દવા ગટગટાવી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર મનપા કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી સફાઈ કામદારો પોતાની પડતર માંગણીઓને લઈને સત્તાધીશો સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. પરંતુ તે અંગે કોઈ સુખદ નીવેડો નથી આવ્યો. બીજી તરફ આજે ગાંધીનગર મનપા ખાતે આજે કેટલાક સફાઈ કામદારો પોતાની પડતર માંગણીને લઈને પુનઃ રજૂઆત કરવામાં આવ્યા હતાં. જે બાદ સફાઈ કામદારોના આગેવાનો અને ડે.કમિશનર વચ્ચે બેઠક મળી હતી. જે દરમિયાન ત્રણ સફાઈ કામદારોએ ઝેરી દવા ગટગટાવી લેતા તેમની તબિયત લથડી હતી. જેથી પોલીસે તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.
પડતર માગણીઓને લઈ સફાઈ કર્મીઓએ આપઘાતની ઉચ્ચારી હતી ચીમકી
ઉલ્લેખનીય છે કે, પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને લાંબા સમયથી આંદોલન કરી રહેલાં સફાઈ કામદારોએ તાજેતરમાં ઝેરી દવા પી લેવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઈ કામદારોના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કપાત પગાર, એજન્સીઓ દ્વારા શોષણ સહિતના મુદ્દે અમે અનેકવખત રજૂઆત કરાઈ છતાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરાયા હતા. જેને પગલે 15થી 27 ડિસેમ્બર 2021 સુધી મફત કામગીરી કરીને નોંધવા છતાં પરિણામ ન આવતા 28 ડિસેમ્બરથી કામદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા હતાં. જોકે હજુ સુધી સફાઈ કામદારોને નોકરી પર લેવામાં આવ્યા નથી અને કોઈ લેખિત બાહેંધરી પણ અપાઈ નથી. ત્યારે જો કામગારોને 1 મે સુધીમાં કામ પર નહીં લેવાય તો 2 મે ના રોજ કામદારો કામદારો ઝેરી દવા પી લેશે. જેની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓ, મેયર અને ભાજપ સરકાર રહેશે.’તેવી ચીમકી આપવામા આવી હતી.