ઇન્કમ ટેક્સ વિભાગ જલ્દીથી સમગ્ર દેશમાં ચાર કલાકમાં નવો પાન નંબર જારી કરવા લાગશે. એના માટે માત્ર આધારની જરૂર પડશે. એની સાથે જ નાણાકીય વર્ષ 2018 19માં ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરનાર લોકોની સંખ્યામાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.
4 કલાકમાં મળશે પાન નંબર
સીબીડીટી જલ્દીથી 4 કલાકની અંદર ઇ પાન આપવાની શરૂઆત કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર એક વર્ષ અથવા થોડાક સમય બાદ અમે 4 કલાકમાં પાન આપવાનું શરૂ કરી દઇશું. તમારે આધાર ઓળખ આપવી પડશે અને તમને 4 કલાકમાં ઇ પાન મળી જશે.
તેઓએ આગળ કહ્યું કે વિભાગે રિટર્ન દાખલ નહીં કરનાર લોકો તથા આવકથી રિટર્ન નહીં મળવાને લઇને લોકોને 2 કરોડ એસએમએસ મોકલ્યા છે.
આઇટીઆરમાં 50 ટકાનો વધારો
નિર્ધારણ વર્ષ 2018 19માં દાખલ થનારી આઇટીઆરમાં છેલ્લા વર્ષની સરખામણીમાં અત્યાર સુધી 50 ટકા વૃદ્ધિ દાખલ કરવામાં આવી છે. નાણા મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી.
એમને કહ્યું કે આ નોટબંધીની અસર છે. નોટબંધી દેશમાં ટેક્સ ભરવામાં ખૂબ સારી રહી છે. અત્યાર સુધી આશરે 6.08 કરોડ આઇટીઆપ મળી ચુક્યા છે. જે ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધારે છે.
એમને આશા વ્યક્ત કરી છે કે આવક વિભાગ ચાલૂ નાણાકીય વર્ષ દરમિયાન 11.5 લાખ કરોડ રૂપિયાનો પ્રત્યક્ષ કર સંગ્રહનો બજેટ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે.