દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે એક જૈન પરિવારના મોભીનુ મૃત્યુ થતા બીજા દિવસે પત્ની અને 2 પુત્રોએ આઘાતમાં કર્યો સામૂહિક આપઘાત
દ્વારકામાં પરિવારના એક સાથે 3 સભ્યોનો આપઘાત
કોરોનામાં પરિવારના મોભીનુ મૃત્યુ થતા કર્યો આપઘાત
પત્ની તેમજ બે પુત્રોએ દવા પી ને જીવન ટૂંકાવ્યું
રાજ્યના દ્વારકામાં પરિવારના એક સાથે 3 સભ્યોનો આપઘાત કર્યો છે. કોરોનામાં પરિવારના મોભીનુ મૃત્યુ થતા સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. પત્ની તેમજ બે પુત્રોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, આ પરિવારના મોભી જયેશભાઇ જૈનનું ગઈકાલે કોરોનાની બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેના આઘાતમાં આખા પરિવારે આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,064 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 119 લોકોના મોત નિપજ્યા છે. તો પ્રથમ ઘટના છે કે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા બીજી વખત સાજા થનારનો આંકડો વધુ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8154 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 13,085 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,03,497 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 775 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,30,30,257 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 1,02,24,941 લોકોનો કોરોનાની રસી આપવામાં આવી છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3744 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 93 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 903 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 306 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 648 કેસ, જ્યારે ગ્રામ્યમાં 390 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 386 કેસ અને ગ્રામ્યમાં 110 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...